Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગઈકાલે બપોરેના બે વાગ્યા આસપાસ દ્વારકા પોલીસને માહિતી મળી કે ભાણવડ ત્રણ પાટિયા નજીક પેટ્રોલપંપ સંચાલકની કાર આંતરી અને ત્રણ બાઈક સવારો 9 લાખની રોકડ લુંટી જવાની ઘટના સામે આવતા દ્વારકા જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો અને પોતા પાસેથી લુંટ થઇ હોવાનું જણાવનાર પૃથ્વી ગિરધર વાઘેલાની પોલીસે પૂછપરછ શરુ કરી હતી,
દ્વારકા એલસીબી પી.આઈ.જે.એમ.ચાવડાને આ બનાવ પહેલાથી જ શંકાસ્પદ લાગતો હોય એસપી નીતેશ પાંડેયના માર્ગદર્શનમાં લુંટનું નાટક કરનાર પૃથ્વીરાજ વાઘેલાની આગવીઢબે અને કોઠા સુઝથી પૂછપરછ કરતા તે ભાંગી ચુક્યો અને પોતાને પૈસાની જરૂર હોવાથી પોતે જ આ લૂટનું નાટક કર્યું હોવાનું એલસીબી પી.આઈ.ચાવડાને જણાવતા વધુમાં કહ્યું કે આ 9 લાખ પોતાના મિત્ર રાજ ખગ્રામને આપ્યા હોવાનું જણાવતા આ લૂટના નાટકનો 7 કલાકમાં જ વીટોળો વળી ગયો હતો.
મહત્ત્વનું છે કે દેવભૂમિ દ્વારકાના ભાણવડથી જામજોધપુર જતા રોડ પર ત્રણ પાટીયા પાસેથી પસાર થઈ રહેલા પેટ્રોલ પંપના સંચાલક પાર્થ ગિરધરભાઈ વાઘેલા કે જેમનો વેરાડ પાટિયા પાસે એચપીનો પંપ આવેલો છે તેઓ પોતાના ઘરેથી રૂા.9 લાખ લઈ આરટીજીએસ કરવા જઈ રહ્યા હતા ત્યારે ધોળા દિવસે બાઈક કાર આડી નાખી છરીની અણીએ રૂા.9 લાખની લૂંટ ચલાવી 3 શખસો ફરાર થઈગયાનું નાટક પર પોલીસે પરદો પાડી દેતા હવે રાજ્યસેવકને ખોટી માહિતી આપવા અંગે પૃથ્વી વાઘેલા સામે ધોરણસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.