Mysamachar.in-જામનગર:
સરકારનો હુકમ હોય તે હંમેશા નીચેની તમામ કચેરીઓએ ગ્રાહ્ય રાખી અને આગળનો વહીવટ ચલાવવાનો હોય છે, પરંતુ જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સરકારના નિયમને સાઈડે મૂકી રહી હોય તેમ લાગે છે, જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તાજેતરમાં હજુ તો સરકારના શિક્ષણ વિભાગની મંજુરી મળી નથી તે પૂર્વે જ મંજુરીની અપેક્ષાએ ત્રણ HTAT આચાર્યોની બદલી કરી નાખતા શિક્ષણ જગતમાં એવી ચર્ચાઓ શરુ થઇ છે કે સરકારનો હુકમ મોટો કે “નગરપ્રાથમિક શિક્ષણ સમિતિનો નિર્ણય ખોટો”.?
શિક્ષણ વિભાગના સુત્રો માહિતી આપતા જણાવે છે કે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ત્રણ આચાર્યોની થોડા દિવસો પૂર્વે આંતરિક બદલીઓ કરવામાં આવી છે, તેમાં પણ હાલના મનપાના એક પદાધિકારીના નજીકના સગાની ત્રણ દિવસમાં બે વખત બદલી શું સૂચવે છે..? વધુમાં જાણવા મળતી વિગતો મુજબ HTAT આચાર્યોની બદલીને લઈને એક કોર્ટ મેટર ચાલુ છે ત્યાં સુધી સરકારે પણ આચાર્યોની બદલી કરવાની મનાઈ કરી છે છતાં શિક્ષણ વિભાગની મંજુરીની અપેક્ષાએ બદલીઓ કરી નાખવામાં આવતા આ મામલો જામનગરના શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યા છે.
-શું કહે છે શાશનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ..
આ અંગે ફાલ્ગુનીબેન પટેલની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે જે આચર્યોની બદલી કરવામાં આવી છે તેમાં સ્થાનિક લેવલના પ્રશ્નો હતા, આ પ્રશ્નો શાંત થાય તે માટે આ બદલીઓ કામચલાઉ રીતે કરવામાં આવી છે,એક પદાધિકારીના સબંધીની ત્રણ દિવસમાં બે વખત બદલી બાબતે તેવોએ કહ્યું કે તેમની ફરિયાદો વધુ પ્રમાણમાં હતી પરંતુ તેમને સારી શાળામાં મુકવામાં આવ્યા હતા, બાદમાં તેની ફરી અન્યત્ર બદલી કરવામાં આવી છે. અને બદલીઓ જે કરવામાં આવી છે તે પણ કરી ના શકાય તેવો સ્વીકાર કરતા શાશનાધીકારીએ વધુમાં કહ્યું કે પરિસ્થિતિને ધ્યાને લઈને અને નિયામકની મંજુરીની અપેક્ષાએ આ બદલીઓ કરવામાં આવી છે.
-રાષ્ટ્ર્રીય સ્વૈચ્છિક સંઘ:જામનગર શહેર અધ્યક્ષ મનહરલાલ વરમોરાએ આ મામલે કહ્યું કે..
અમે આ મામલે શાશનાધિકારીને રૂબરૂ મળ્યા હતા અને આચાર્યોની બદલી નિયમમુજબ ના થઇ હોવાની રજૂઆત કરી અને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. અને મુખ્ય શિક્ષકોની બદલી કરવામાં આવે તો તેની સામે જ મુખ્ય શિક્ષક આપવા જોઈએ, વધુમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોની રજા પણ સમયસર મંજુર કરવામાં નથી આવતી તે બાબતે પણ રજૂઆત કરી હોવાનું તેમને જણાવ્યું.