Mysamachar.in-જામનગર
સરકારી પડતર જમીન ઉદ્યોગોને આપવા માટે સરકાર વિચારી રહી છે જોકે ઘણા ખરા કિસ્સાઓમાં તો આપી પણ છે ત્યારે ખેતીપ્રધાન રાષ્ટ્ર ભારતમાં ખેડુતોને પણ આવી પડતર જમીન શા માટે આપવામાં ન આવે તે મોટો પ્રશ્ર્ન છે અને સમીક્ષકો દ્વારા ખેદજનક પણ ગણાવાયુ છે,ગુજરાત રાજયમાં હાલમાં લાખો હેકટર સરકારી જમીન પડતર પડી છે. આ સરકારી ખરાબાની પડતર તરીકે પડી રહેલ જમીન સરકાર હાલમાં જંત્રીના ભાવે રહેણાંકના મકાનો બનાવવા તથા ઉધોગોને તેમના ઉધોગોના વિકાસ માટે આપવા વિચારણા કરી રહેલ છે. જેનાથી રાજય સરકારને પણ કરોડો રૂપિયાની આવક થાય તેમજ રાજયમાં જે રહેણાંક મકાનોની ભારે તંગી લોકો ભોગવી રહેલ છે. તે રહેણાંકના મકાનોની તંગી પણ હળવી થાય અને તે જ પ્રમાણે ઉધોગેને પણ સસ્તા ભાવે (જંત્રીના ભાવે) જમીન મળવાથી રાજયમાં ઉધોગનો પણ વિકાસ થાય તેમજ લોકોને પણ રોજગારીની મોટા પ્રમાણમા તક મળે તે પ્રમાણેનું વિસ્તૃત આયોજન સરકાર વિચારી રહયાનું જાણવા મળેલ છે.
સરકારી પડતર જમીન રહેણાંકનો મકાનો માટે તથા ઉધોગોને તેમના વિકાસ માટે જંત્રીના ભાવે આપવામાં આવે તે સામે વિરોધ નથી થઇ રહ્યો પરંતુ એક પ્રબળ માંગણી ઉઠી છે કે રાજયમાં લાખો ખેડૂતોને પણ વંશ વારસા ગત જમીનોના ભાગલા પડતાં ખેડૂતો પણ ખેતી કાર્ય માટે ભારે જમીનની જંત્રી ભોગવી રહેલ છે. સબબ જેમ ઉધોગો તથા મકાનો માટે જંત્રીના ભાવે સરકાર ખરાબાની પડતર જમીન આપવા વિચારી રહેલ છે. તેજ રીતે રાજયમા ખેડૂતોને પણ તેમની ખેતીની જમીને લાગુ સરકારી ખરાબાની જમીન જંત્રીના ભાવે ખેડૂતોને આપવામાં આવે એવી સરકારમાં ખાસ ભલામણ ખંભાલીયા વિસ્તારના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં કરાઈ છે,
આ ખેડૂતોને પણ જંત્રીના ભાવે જ તેમની ખેતીની જમીનને લાગું જમીન આપવાથી જે ખુબ જ નાના ટુકડામાં ખેતી કરતાં ખેડૂતને થોડી વધુ જમીન જંત્રીના ભાવે મળવાથી સરકારને પડતર જમીનના પૈસા મળશે અને ખેડૂતેને સસ્તા ભાવે જમીન મળવાથી તેમની ખેતીની હૈયાત જમીનના વિસ્તારનો પણ વધારો થશે ખેતીનું ઉત્પાદન પણ વધશે અને આ સરકાર તથા ખેડૂત બન્નેને લાભ થશે જે બાબત ધ્યાને લઈ સરકારી ખરાબાથી પડતર પડી રહેલ જમીન ખેડૂતોને પણ તેમની ખેતીની જમીનને લાગુ જમીન લગત ખેડૂતને આપવા રજૂઆત કરાઇ છે.