Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનના એક ઇજનેરને રાતોરાત મોટા સાહેબ થવુ હતુ તે સપનુ રોળાય ગયુ છે આ સાહેબ થવા માટે ખુબ દાવ ખેલ્યા ખુબ લાગતા વળગતાઓનો સાથ લીધો ખુબ હવાતીયા માર્યા પરંતુ સરકારના એક હુકમે એક જ ઝાટકે બધુ જ પાણી ઢોળ થઇ ગયુ હવાતીયા એળે ગયા ને સપના રોળાયા છે, વાત જાણે એમ છે કે ભુગર્ભ શાખાના જુનિયર ઇજનેર અને ઇન્ચાર્જ ડેપ્યુટી ઇજનેર ભાઇ કણસાગરા ને કાર્યપાલક ઇજનેર થવુ હતુ તે માટેની ખાલી જગ્યા માટે દાવેદારી કરી તેમજ બીજા બે મળી કુલ ત્રણ દાવેદાર હતા પરંતુ જેમ માનીતાને ટેન્ડર આપવુ હોય તો ચોક્કસ શરતોના મેચ ફીક્સીંગ થાય જેથી એ માનીતા ને જ કોન્ટ્રાક્ટ મળે ને બીજા હાથ ઘસતા રહી જાય…
તે રીતે જ કોઇ અકળ કારણોસર કોર્પોરેશન ના દરેક પ્રકારના જવાબદારોએ ભાઇ કણસાગરાની લાયકાત અનુભવ બધુ જ ટુકુ પડતુ હોઇ લાયકાત અને અનુભવના નવા મનઘડત ધારાધોરણો અમલમાં મુકી સ્ટાફ સીલેક્શન કમીટી ઇન્ટરવ્યુ સ્ટેન્ડીંગ કમીશનર જનરલ બોર્ડ એમ દરેક જગ્યાએ કોઇ વ્યવસ્થિત આયોજન થી કણસાગરાની તરફેણમાં પ્રકરણ પહોચાડ્યુ અને સરકારમા પણ પહોચાડ્યુ પણ કોને ખબર શુ થયુ સરકાર મુળ લાયકાત અનુભવ વગેરે ને જ વળગી રહી અને નિમણુંક પ્રક્રીયા રદ કરતા આ ઓરતા લઇ બેઠેલા ભાઇ ને ઉલટુ હાથ ઘસતુ બેસવુ પડ્યુ સાથે સાથે તેના હમદર્દોને પણ ઝાટકા લાગ્યા કેમકે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે કોર્પોરેશનને આદેશ કરી સમગ્ર બાબતો સ્થગીત કરાવી દીધી છે,
કોર્પોરેશને વર્ષ-2016 માં કાર્યપાલક ઇજનેર(ડ્રેનેજ)ની ભરતીની જાહેરાત આપી તેની પ્રક્રિયા છે…ક વર્ષ-2019 માં કરી હતી. પરંતુ આ ભરતી પ્રક્રિયા મુદે આર.ટી.આઇ. એક્ટીવીસ્ટ પ્રદ્યુમનસિંહ જાડેજાએ મેયર, કમિશ્નરને લીગલ નોટીસ ફટકારી હતી અને ભરતી પ્રક્રિયામાં સરકાર પાસે લાયકાત મંજૂર કરવામાં આવી ન હોવાનું, અનુભવ, પેપર સેટ અને ચકાસણીમાં પારદર્શિતા જાળવવામાં ન આવી હોવાનું જણાવી સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવા માંગણી કરી હતી
જો કે મેચ ફીક્સીંગની જેમ રમાયેલી સમગ્ર રમતના કારણે કોર્પોરેશને એ ડ્રેનેજ વિભાગમાં કાર્યપાલક ઇજનેરની ભરતી કરતા રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં આ એક્ટીવીસ્ટે રજૂઆત કરી હતી જ્યાથી નિમણૂંક રદ કરવા આદેશ થયા છે આ આદેશમાં જણાવાયુ છે કે ડ્રેનેજ વિભાગમાં કાર્યપાલક ઇજનેરની ભરતી અંગે સેટઅપ મંજૂર કરવા મનપાએ દરખાસ્ત કરી છે પરંતુ સરકારે સેટઅપ મંજૂર કર્યું નથી વળી લાયકાત કોર્પોરેશનએ સુધારી છે પરંતુ સરકારે મંજૂર કરી નથી તે પહેલાં ઇજનેરની કેવી રીતે પસંદગી કરવામાં આવી?? તેવા પ્રશ્ર્ન સાથે પસંદ કરેલા ઉમેદવારને હાલ નિમણૂંક ન આપવા સૂચના આપી છે. આમ હાલ તો સપના રોળાઇ જતા લગત નાના એવા ઇજનેર ને મોટા સાહેબ થવાના હવાતીયા ફેલ ગયા હોઇ તેમના માટે તો મોટી મોકાણ સર્જાઇ છે.