Mysamachar.in-જામનગર
ગઈકાલે ભાજપ દ્વારા જામનગર મહાનગરપાલિકાના જે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી તેમાં એક એવા ઉમેદવારનું નામ પણ જાહેર કર્યું જે અકસ્માતને કારણે બન્ને પગમાં ફ્રેકચર થતા પથારીવશ છે, વાત કઈક એવી છે કે થોડા સમય પૂર્વે વોર્ડ નંબર 7 ના ભાજપના જાહેર થયેલા ઉમેદવાર ગોપાલભાઈ સોરઠીયા પોતાના મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે તેને પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક અકસ્માત નડ્યો હતો, અને તે અકસ્માતમાં તેમના બન્ને પગ ફ્રેકચર થઇ જતા તેવો છેલ્લા કેટલાક સમયથી પોતાના ઘરે પથારીવશ છે,
પરંતુ તેમનું નામ પણ પક્ષ દ્વારા જાહેર થતા તેવોએ પોતાના ઘરેથી જ ઉમેદવારીપત્ર ભર્યું છે, અને તેવો હવે આગામી ચુંટણી લડશે અને જીતશે પણ તેવો આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે હું અને વોર્ડ નંબર સાતની પેનલ વિજેતા બનીશું વધુમાં ગોપાલ સોરઠીયાએ કહ્યું કે રહી વાત માર્રી તો મારા વોર્ડના કાર્યકરો, આગેવાનોની મહેનત અને મતદારોનો પ્રેમ મને મળશે અને હું વિજેતા બનીશ તેમ તેવોએ વાતચીતના અંતે કહ્યું.