Mysamachar.in-જામનગર
ગુજરાતની જેમ જ જામનગર કોર્પોરેશનમા પણ હાલની પાર્ટી અઢી દાયકાથી રાજ કરે છે આ શાસન દરમ્યાન ઘણી સારી નરસી બાબતો બહાર આવે તે સ્વાભાવિક છે તેની વચ્ચે ઘણા નેતાઓ પ્રમાણીક આદર્શ વાળા વગેરે પ્રકારના હોય ઘણામા સુધારો કે વધારો થાય અમુક નિષ્ક્રીય રહે અમુક ખુબ જ સક્રિય રહે અમુક ખેચતાણમા કે કાપા કાપીમા રહે અમુક શાણા પોતાનો ફાયદો લઇ સીફતથી સાઇડ લાઇન થય જાય તો અમુક સમય મોકે ઘા કરે અમુક નારાજગીથી લાભો લેતા હોય છે,. પરંતુ હાલ પુરતી તો જે બે પદાધીકારીઓની હિંમત સામે આવી છે તે બાબતે સમીક્ષકોએ સરસ વાતો જણાવી છે, તે સિવાયના પદાધીકારીઓ ચુંટાયેલા શહેરી કે ગ્રામ્ય સ્થાનીક સ્વરાજ્યનાની સમીક્ષા અને વિશ્લેષણ હવે આવશે હાલ વાત માત્ર જામ્યુકોના યંગ ડાયનામીક સ્ટે.કમીટી ચેરમેન અને જીલ્લા પંચાયતના જોશીલા પ્રમુખ આ બે પુરતી જ સમીક્ષાની ચર્ચાના પડઘા પડી રહ્યા છે,
કેમ કે બંનેએ એવી હિંમત દર્શાવી છે કે પોતાના હાલના પદ દાવ ઉપર મુક્યા ત્યા સુધીની ટીકા અમુક લોકો કરે છે જો કે કોર્પો.ચેરમેન અને જિ.પં.પ્રમુખની હિંમતને દાદ આપવી પડે તેઓએ “ઉપર” ના આદેશ અને…IAS ચેરમનેનને પણ નમતુ ન જોખ્યુ…!! અને ફરી ભારપુર્વક જણાવીએ કે પોત પોતાના પદ દાવ પર મુકી બંને એ “જાડા”નો ખેલ ઉંધો પાડ્યો છે, હવે અણીનો ચુક્યો…..સો વરસ જીવે તેવુ થશે કે શુ?? જો કે સર્ક્યુલર ઠરાવ થઇ શકે અને મંજુર તો સરકારે કરવાનુ છે માટે પાછલા બારણાની રમત ગોઠવી શકાય પરંતુ એ પણ સહેલુ નથી કેમકે શાસક પક્ષના જ સક્ષમો સહમત નથી અને સિફતથી તે બાબત વિરોધ પક્ષના અમુક સોદાગરો મેદાનમા છે,
વાત એમ છે કે જામનગર વિસ્તાર વિકાસ સતામંડળની ગત જનરલ બોર્ડમા બે એજન્ડા ઝોન ફેરના હતા રેગ્યુલર એજન્ડા આઇટમ હતી સાથે આ બોર્ડ બેઠકના એક અપેક્ષીત સભ્યના જણાવ્યા મુજબ અધ્યક્ષસ્થાનેથી પણ આ બે ઝોન ફેર પ્રસ્તાવ મુકાયા હતા પરંતુ સંપુર્ણ અભ્યાસ કરવો પડશે તેમ જણાવી જામનગર મનપા સ્ટે. ચેરમેન અને જિલ્લા પંચાયત જામનગર પ્રમુખ બંને એ ઝોનફેરનો પ્રસ્તાવ પેન્ડીંગ રખાવી હિંમત દર્શાવતો અભિપ્રાય આપ્યો જે કાબીલે દાદ છે,
મુદો હતો કનસુમરા દરેડ જામનગરને અડતા કનસુમરાના સર્વેનંબર વાળી જમીનના ઝોનફેર અને બ્રુકબોન્ડ વાળી અમુક જમીનના ઝોનમા ફેરવવાના મહત્વના મુદા હતા, આ તકે સતાધીશો દ્વારા જણાવાયુ કે આવી ઝોન ફેરની જનરલ બોર્ડમાં એજન્ડા લઇ ઠરાવ કરી સરકારની મંજુરી અંગેના યોગ્ય નિર્ણય માટે મોકલવાની સતાની જોગવાઇ જાડાની છે કોર્પોરેશનની નથી બીજુ કહેવાય છે કે આ બે ઝોન ચેન્જની દરખાસ્ત સરકારમા મોકલો તેવી સુચના રાજ્યના સતાના કેન્દ્ર તરફથી હતી તેમ પણ ખાનગી રીતે ચોક્કસ સતાવાળાએ જાહેર કર્યુ હતુ,
પરંતુ જામ્યુકો સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અને જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ જે બે આ “જાડા” બોર્ડ ના સભ્ય છે તેમને માર્ચની આ જનરલ બોર્ડમા કહ્યુ કે આ બંને મામલે ટેકનીકલ અભ્યાસ કરવો પડશે તાત્કાલીક સહમતી કે અસહમતી નહી આપી શકાય( બિચ્ચા…રા આઉટ સોર્સમા શોષાતાના પગારના સામાન્ય વધારાનો એજન્ડા પણ એક સભ્યને પેટમા ખુંચતા રકઝક થય પણ ટસ ના મસ ન થયા..ઘણા હોય છે રાજકારણમા અડગ મનના તેઓ ફ્લેક્સીબલ નથી હોતા અને નબળા કે ઢીલા પણ ન પડે..મક્કમ રહ..અવાજ ઉઠાવે જ..)અને આ જ બાબત જોવા મળી હતી તે વખતે જો કે ફીલ્માંકન થયુ હોત તો વધુ સ્પષ્ટ બાબતો બહાર આવવાની શક્યતા હતી તેમ પણ એક ચર્ચા છે,
હાલની જામનગર કોર્પોરેશન જીલ્લા પંચાયત અને ગુજરાતમા જે શાસક પક્ષ છે તેમા પદ ઉપર રહેલા અમુક એ તો હા જી હા કરવાનુ હોય છે ઉપરથી કોઇ સક્ષમથી કે ખાસ જુથથી કે વગદાર કે પદ સતા આચકવાની સતા ધરાવનારની સુચનાના મુંગા મોઢે પાલન કરવાના હોય છે નહિ તો તકલીફ પડે અને ઘણુ બધુ થાય તેમ પણ ચર્ચાય છે એટલુ જ નહી જગજાહેર છે મોટા કામોમા થાય જ છે ને કે ચોક્કસના જ કોન્ટ્રાક્ટ મુળ ટેન્ડર પેટા કામ પદ વગેરે મંજુર થાય જ છે તે મંજુર કરનાર પાછળ કોઇના હુકમ ઇરાદા કાંતો સંયુક્ત યોજનાઓ કામ કરતી હોય છે,
પરંતુ ચેરમેન કોર્પો. અને પ્રમુખ પંચાયતે મચક ન આપી તેઓએ બળવો નથી કર્યો ઉપરથી સુચના હોય તો પાલન કરવાની આ શાસકપક્ષની પ્રણાલીને તે લોકો માને જ છે અને જવાબદાર પદ પર છે તેમને ખબર છે કે ઉપર આ સમગ્ર વિરોધ પહોંચશે તો પદ પણ જઇ શકે છે અથવા બીજા શુ ગંભીર પગલા લેવાય શકે કાં તો ભવિષ્યમા કઇ સાઇડ ઇફેક્ટ થાય અથવા આ મામલે પગલા નથી લીધા તેમ બતાવી મોવડી મંડળ કઇ પણ કરી શકે…વગેરે ઘણી બાબતો આ બંને પરીપક્વ નેતાઓના ધ્યાનમા જ છે પરંતુ અડગતા અલગ બાબત છે ને.? બધી બાબતે હા એ હા કરવી?? આપણુ પણ અસ્તિત્વ હોય ને??તેમ વિચારીને ઉપરાંત જનતાના હિતમા કાયદાના હિતમા પક્ષથી ઉતાવળો નિર્ણય ન લેવાય જાય તેવા ઉમદા હેતુથી તેમજ કાચુ ન કપાય તથા ચાર છ મહિના મોડુ થાય તો શુ બગડે?? “અભ્યાસ” તો થઇ જાય ને? (ટાઉન પ્લાનીંગ એક્ટ મુજબ ઝોન ફેર થય શકે દસ વર્ષે વિકાસ યોજના રીવાઈઝ થય શકે દરખાસ્ત વગેરે કરી જાડા આ બધુ મંજુર કરવા અંગે યોગ્ય નિર્ણય માટે સરકારમા સાદર કરી શકે છે ઝોન ફેર દરખાસ્તની સતા જાડા ને છે જ) તેમ આ બંને નેતાએ આ બે ચોક્કસ એજન્ડા પેન્ડીંગ રખાવ્યા છે તેમ સમીક્ષાનુ તારણ લેન્ડ એક્સપર્ટ કાઢે છે,
ઘણા કહે છે કે સુચના છતા હા જી હા ન કરવા પાછળ એવો હેતુ જરા પણ ન હતો કે અમારૂય મહત્વ છે અમને સમયસર વિશ્વાસમાં લઇ લેવા જોઇએ ને??આવો મદ નથી માત્ર અભ્યાસનુ કારણ છે ઉપરાંત કોઇપણ અન્ય અપેક્ષા રાખે કે પક્ષનુ ખરાબ લાગે તેવો ઇરાદો તો આ બે ય નો જરાય નથી તેમજ બંને પ્રમાણીક અને પારદર્શી છે હા….મોવડીઓ કઇ કોઇ ની કાનાફુશીથી કહેશે કે ઠપકો આપશે તો સાંભળી લેશુ પણ પક્ષનુ ઓલઓવર છાપ ન બગડે કે જમીન મામલે સરકારને શાસન ગમે ત્યારે ગમે તે ઠરાવ કરે છે તેવી દાગી છાપ ન લાગવા દેવાનો હેતુ આ બેયનો હતો,
ઉપરાંત આ બાબતથી કઇ આફત આવે કે પદ ને કઇ નડે તો સહી લેવુ પણ ઉતાવળથી કાચુ તો ન જ કપાવા દેવુ અને દરેક રીતે દરેક આયામોથી સંપુર્ણ ઓડકાર આવે એવો સંતોષ થાય પછી જ સહમતી આપવી તેવુ ચેરમેનને પ્રમુખે આત્મસુઝથી નક્કી કર્યુ છે પરિણામ ગમે તે આવે પણ મચક ન આપવાનો બંને પદાધીકારીઓનો આ દ્રઢ નિર્ણય કાબિલે દાદ છે તેમ તે બંનેના અંગત લોકોએ ખાનગી સુત્ર તરીકે જણાવ્યુ છે હા જાડા ભલે બીજી કોઇ રીતે આ ઠરાવ કરાવી શકે ધારે તો… કા સરકાર પણ સીધા હુકમ કરવા ખુલાસા માંગી શકે ને કદાચ ઝોન ફેર માટે નવી વિકાસ યોજના જ મંગાવે…..વગેરે કારસા કરવા હોય તો કરે પરંતુ આ બંને ઉંડા તલસ્પર્શી અભ્યાસ કરવાના છે.
દરમ્યાન સમગ્ર મામલે હજુય આ સિવાયની સ્ફોટક બાબતો તેમજ અધીકારી કે અધીકારીઓ કે નેતાઓ કે પદાધીકારીઓ કે કોઇ બહારના પણ અંદર ક્યારેક કંટ્રોલ રાખી શકનાર અને સરકારના તેમજ શાસક પક્ષના બે ઉપરના માથાઓના સ્ફોટક સંવાદો હવે બહાર આવનાર છે તેના ઉપરથી ઘણુ ખુલ્લુ પડશે તેમ બિનસતાવાર રીતે જાણવા મળ્યુ છે તે બાબત કદાચ બોમ્બ સાબિત થાય તેમ છે તેવી ભીતી ચકોરો સેવે છે સૌ જાણે છે અધીકારી કર્મચારી વગેરેની બદલી થાય કે સસ્પેન્ડ થાય કે બરતરફ થાય કે સાઇડ લાઇન થાય પરંતુ નેતાઓમા ચુંટાયેલાઓમા આવુ છાશવારે ન થાય પરંતુ જરૂર પડ્યે થાય તેમજ કદ સમાનથી વેતરાય પણ જાય કા તો સાઇડલાઇન થાય કે બીજુ અણધાર્યુ એવુ થાય કે પોતે આગથી બચવુ પડે અને આંખો ઉઘડી ને ચાર પણ થાય…..આ બધુ મત જુથ સ્થિતિ જરૂરીયાત અને વજુદ ઉપર આધારીત છે તે તો સ્વાભાવિક જ છે.