Mysamachar.in-જામનગર-દેવભૂમિ દ્વ્રારકા:
જામનગર અને દ્વારકા જિલ્લાની અમુક ગ્રામપંચાયતોની બેદરકારીના કારણે ગ્રામજનો પાણી માટે વલખા મારે છે,જિલ્લા કલેક્ટરે સમીક્ષા કરી દર અઠવાડીયે જરૂર મુજબ ટેન્કર વધારવાની મંજુરી આપવાનુ સુચારુ આયોજન અમલમા મુક્યુ જ છે,પરંતુ ગ્રામ્યકક્ષાએ પહોંચતા ટેન્કર અને જૂથયોજના કે નર્મદાના પાણીની વિતરણની સુઘડ વ્યવસ્થા ગ્રામપંચાયતો એ કરવાની હોય છે,પરંતુ તેમા અમુક પંચાયતો ઉણી ઉતરે છે,આ તમામ બાબતોથી તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત વાકેફ હોવા છતા જરૂરી પગલા લેવા કોઇ કાર્યવાહી કરતા ન હોઇ ગ્રામજનોની હાલત કફોડી છે,
સંખ્યાબંધ ગામોના ગ્રામજનો દ્વારા પંચાયતમા જુદા-જુદા સ્તરે ફરિયાદો કરતા જ હોય છે કે તેમના ગામમા રોજ તો પાણી નથી આવતુ પરંતુ બે- ચાર દિવસે કે અઠવાડીયે નિયમિત નથી આવતુ તેમ છતા કોઇ કાર્યવાહી કરવા પંચાયત પાસે કોઇ સીસ્ટમ જ નથી,ખેતી પ્રધાન રાષ્ટ્ર ભારતમા હાલારના તમામ ૬ લાખ હેક્ટર ખેતીની જમીનમા હજુ વાવેતર પણ થયુ ન હોય અને જુજ ગામો અને વિસ્તારોને બાદ કરતા વાડી ખેતરના તળમા પાણી નથી માટે સિંચાઇની સુવિધા મળતી નથી પશુપાલકો માલઢોરને પાણી પીવડાવવા ભટકે છે,ત્યારે બાકીના ગ્રામજનોની હાલત પીવા અને વપરાશ માટેના પાણી બાબતે મુશ્કેલીમા જ હોય તે સ્વાભાવીક છે,
-ધોળા દિવસે તારા દેખાયા છતા વડાપ્રધાનની અપીલ બેઅસર
હાલ સમગ્ર વિશ્ર્વમા એક જ વાત છે જળસંચય કરો વડાપ્રધાને દરેક સરપંચોને વરસાદી પાણી સંચય કરવા અનુરોધ કર્યો ત્યારે હાલ પોતાના ગ્રામજનોને રોજનુ માથા દીઠ ૫૦ લીટર પાણી અધીકાર મુજબ મળતુ નથી,તે યાતના જોવા છતા મોટાભાગના ગ્રામપંચાયતોના હોદેદારો જળસંચય માટે આયોજન કરવાના બદલે આંતરિક ખેંચતાણ,ફાયદાના ઠરાવ કરાવવા કે નાના-મોટા કોન્ટ્રાક્ટ મેળવવા કા તો અપાવવા કે તેમા ટાંગ અડાડવામા જ વ્યસ્ત છે,માટે જિલ્લાકક્ષાએ વહીવટીતંત્ર પાણી માટે જહેમત ઉઠાવે છે,પરંતુ ગામડાના રખેવાળોની બેદરકારીથી ગ્રામજનોની હાલત કફોડી છે