Mysamachar.in-જામનગર
શાસ્ત્રમા એક સુત્ર છે….ઉર્ધ્વ મુલમ અધો શાખા….અર્થાત એક એવુ વૃક્ષ જેનુ મુળ ઉપર છે ને શાખાઓ નીચે છે ગુજરાત સરકાર અને જાડાને સ્પર્શે છે ત્યા સુધી ઉપર મુળ છે જેની સુચના મુજબ નીચેની 12 ડાળીઓ શાખાઓએ ઝોનફેર કરવા મુળમાથી કહેવાયુ છે તે મુજબ સમગ્ર તખતો તૈયાર કરી કામ પાર પાડવુ છે, પરંતુ કામ પાર કરવાની “ગોઠવણ” ફસકી ગઇ.! જમીન જોઇ મધલાળ ટપકાવનારાઓના હાલ ગળા સુકાયા છે કેમકે ખુબ ઉગ્ર રજુઆતો જામનગરમા ગાંધીનગરમા અને દિલ્હીમા થઇ છે કે જામનગરમા વિસ્તાર વિકાસ સતામંડળ જાડા જે ચાર મહીનાથી રાંધે છે તે ઝોન ફેર મામલો જનહિત નહી પરંતુ “ચોક્કસ હિત” નો છે માટે સનસની ભરી મુદાસર અને ટાઉનપ્લાનીંગ એક્ટ…તેમજ GDCR તેમજ આનુસાંગીક ગેઝેટસ હુકમ જોગવાઇઓના આધારે જે આ પ્રકરણમા પત્રો લખાયા છે તે અભ્યાસ કરતા માલુમ પડે છે કે વ્યવહાર ભલે થયો કમીટમેન્ટ ભલે કરાયા ઉપરથી ભલે બધુ આવ્યુ નીચે એટલે અહી જામનગરના જ આ પ્રકરણમાં ત્રણ ખુબ સક્રિય ભલે સમુનમુ કરી પાસ કરાવાની પૈરવી કરે છે,પરંતુ કોઇના મો સીવવા હાથ બાંધવા કે પગ પકડવા…..શુ કરવુ ની હજુય વૈતરણમા તો છે જ તેમ સમગ્ર મામલાનુ વિશ્લેષણ “લાભ વંચિત” કરી રહ્યા હોવાનુ ચર્ચાય છે,
આ વિષયને જોઇએ તો જાડાવાળા ઝોનફેર કરી ગયા કંસાર થય ગયુ થુલુ જેવી હાલત થઇ કેમકે કારસ્તાનના પર્દાફાશ થય ગયા છે, માટે વિસ્તાર વિકાસ સતામંડળનુ બોર્ડ અટવાયુ ઉપર અને નીચે બેઉથી સખત પ્રેસર પન આવી રહ્યા છે કેમકે આટાપાટાથી “વહીવટ” કરવાના કારસા અટકાવવા જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ પોતાની જ સરકાર સામે કાયદાના હિતમા “યા હોમ ” કરી ને પડ્યા છે જે રંગ લાવશે કેમકે એમના વાંધા ધ્યાને લઇએ તો સારાંશ એ નીકળે કે આવા ખેલ શા માટે? કોની “ખણખણતી ખુશી” માટે દાવપેચ? જિ.પં. ના વોચડોગ સમાન પદાધીકારીઓ ખોટુ થવા નહી દે તે નક્કી હોઇ”મલાઇમેન” બધા સારીપટ ભીંસમા આવી ગયા છે જો કે રસ્તા કાઢે જ છે પણ હજુ ખાડા નડે છે,
-શુ કહે છે નિષ્ઠાવાન અને તટસ્થ જીલ્લા પંચાયત પ્રમુખ
જામનગર જિલ્લા પંચાયતના નિષ્ઠાવાન અને તટસ્થ પ્રમુખએ “my samachar” ને જણાવ્યુ કે હુ આ ઝોન ફેર માટેની પ્રકિયા હાલ જે થઇ અને થઇ રહી છે તેનો વિરોધ કરૂ છુ પરંતુ મને કોઇ લોભ લાલચ દબાણ પ્રલોભન નથી જામનગરના હિતમા કઇ કરવાનુ હોય તો કરો પણ અમારી જાણ બહાર શુ કામ..? એમ જણાવી ધરમશી ચનિયારાએ ઉમેર્યુ છે કે સર્ક્યુલર ઠરાવ કરી સરકારમા મોકલાયુ તે પ્રકરણ બહુમતીવાળુ નથી તેમજ આગામી મીટીંગમા આ એજન્ડા લાવે તો તેઓ પોતાના જિલ્લા પંચાયતના સભ્યોનો અભિપ્રાય લઇ સહમતી દર્શાવવા અંગે વિચારી શકે છે પરંતુ ખોટી પ્રોસીજર કરી ઉતાવળે મોકલેલ આ પ્રકરણ સરકારમા જાય તે પહેલા અમારે અભ્યાસ કરવો હતો પરંતુ છતા જાડાએ સર્ક્યુલર ઠરાવ કરી અમારી જાણ બહાર મંજુર થવા મોકલ્યુ છે તે પ્રોસેસ ખોટી અને ગેરકાયદેસર હોઇ સરકારમા પત્ર લખી આ ચોક્કસ ઝોન ફેર નહી કરવા રજુઆત કરવામા આવી છે,
-શુ છે પ્રકરણ?જિ.પં.ઉપ.પ્રમુખનો ધગધગતો પત્ર જેમા વિષય ઉઘાડો પડ્યો તે વિષય મુદાસર જોઇએ તો.સાથે સાથે જિ.પં. ઉપપ્રમુખનો આશાવાદ C.M. અને PATIL ખોટુ નહી થવા દે…
-વર્ષ 2017 માં જાડા ‘ની બોર્ડ મીટીંગમાં 2031 સુધીનો વિકાસ પ્લાન મંજુર કરવામાં આવેલ. જેની બહાલી પણ આપવામાં આવેલ.
-તા. 5-3-2022 નાં રોજ મળેલ સામાન્ય સભામાં ઝોન ફેરફાર કરવા અંગે એજન્ડામાં જુદા જુદા મુદ્દાઓ બોર્ડ સમક્ષ લેવામાં આવેલ અમુક મુદ્દાઓ અધ્યક્ષ સ્થાનથી લેવામાં આવેલ.
આ બોર્ડ મીટીગમાં નીચે જણાવેલ જમીનો ના હેતુફેર (ઝોન ફેરફાર) અંગે નિર્ણય ન થતા આગામી બોર્ડ મીટીંગમાં લેવાનું સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ.
-કનસુમરા તા.જિ. જામનગર નાં જુના રે.સ.નં. 172 થી 106, 178 થી 188 તથા 371 ની જમીન.( કુલ-17સર્વે નંબર છે.)ને જમીન ઉદ્યોગ ઝોનમાં ફેરવવા દરખાસ્ત રજુ કરવામાં આવેલ. ( કદાચ સર્વે નંબર 7માં થોડો ફેરફાર હોઈ શકે.)
-ઉપરાંત હાલમાં નગરસીમ વિસ્તારની જુદી જુદી જમીનો દરેડ તા.જિ. જામનગરનાં રે.સ.નં. 90 તથા રે.સ.નં.95 ની જમીનને “ એગ્રીકલ્ચર ઝોન “માંથી ” ઈન્ડસ્ટ્રીયલ (નોન ઓબોકસીયસ) ઝોન” માં ફેરવવા અંગે જાડાની બોર્ડ મીટીંગમાં દરખાસ્ત રજુ કરવામાં આવેલ. તેમજ જામનગર પંચવટી વિસ્તાર–બેડીબંદર રોડ ઉપર આવેલી ઉદ્યોગ ઝોન વાળી જમીનને રહેણાંક ઝોનમાં તબદીલ કરવા દરખાસ્ત કરવામાં આવેલ
-આ જમીનના સર્વે નં.206/ 4,215 પૈકી, 216 તથા 217 ની જમીન કે જે મંજુર થયેલ વિકાસ યોજનાની દરખાસ્ત મુજબ ઈન્ડસ્ટ્રીયલ (નોન ઓબનોકસીયસ) ઝોનમાં આવેલ છે.આ જમીનમાં અમુક બિલ્ડરો-રાજકારણીઓનું હિત સમાયેલ છે તેવું જાણવા મળેલ છે.”જાડા” ઘ્વારા તૈયાર કરેલ પ્રથમ વિકાસ યોજનામાં આ વિસ્તારને ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં મુકવામાં આવેલ હતો. જે હાલ સુધી છેલ્લી મંજૂર થયેલ દ્વિતીય પુનરાવર્તીત વિકાસ યોજનામાં ચાલુ રાખવામાં આવેલ છે.માટે જમીનોને ઈન્ડસ્ટ્રીયલ ( નોન ઓબોકસીયસ) ઝોનમાંથી રહેણાંક ઝોનમાં ફેરવવા મીટીંગમાં દરખાસ્ત રજુ કરવામાં આવેલ.
-ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ-1976 ની કલમ–19 હેઠળ ઝોન ફેરફાર અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય થવા તા. 05/03/22 ની મીટીંગમાં ઝોન ફેરફાર અંગે નિર્ણય થવા દરખાસ્તો ૨જુ ક૨વામાં આવેલ તેવું જાણવા મળેલ છે.
-જામનગર (શહેર) નગરસીમના રે.સ.નં. 911, 913, 914, 916, 917 તથા 919 ની જમીન કે જે મંજુર થયેલ વિકાસ યોજનાની દરખાસ્ત મુજબ રેસીડેન્શીયલ ઝોનમાં આવેલ છે.તે જમીન જામનગર જી.આઈ.ડી.સી. ફેઝ-2 અને ફેઝ-3ની બાજુમાં આવેલ છે.આ.સર્વે નંબરોની જમીનોને રેસીડેન્શીયલ ઝોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ (નોનઓબનોકસીયસ) ઝોનમાં ફેરવવા પણ બોર્ડ મીટીંગમાં દરખાસ્ત રજુ કરવામાં આવેલ છે. ઉપર જણાવેલ કુલ-4 જુદા-જુદા પ્રકરણો જુદા-જુદા સર્વે નંબરો વાળી (કદાચ સર્વે નંબરમાં આંશિક ફેરફાર હોઈ શકે.જમીનોના હેતુફેર કરવા અંગે નિર્ણય નહી થતા “જાડા” ના કુલ–10 પ્રતિનીધીઓમાંથી 4 પ્રતિનિધીઓની સહીથી તા.18-04–22 થી સરક્યુલર ઠરાવ કરી સરકારમાં આગળની મંજુરી અર્થે સાદર કરવામાં આવેલ જૈ નિયમ વિરૂઘ્ધ અને ગેરકાયદેસર જણાય છે. તેવી રજુઆત અમારી સમક્ષ આવેલ છે. આ સમગ્ર બાબતોને ગેરકાયદેસર ચલાવાઇ રહી છે અને વિકાસ યોજનાનો ઉલાળીયો કરાયો છે પરંતુ જાડા ખોટુ ભલે કરે પરંતુ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને શાસક પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખોટુ નહી જ થવા દે તેવો આશાવાદ નયનાબેનએ વ્યક્ત કર્યો છે.
-જાડા વિરૂધ્ધના પત્રો રજુઆતો વગેરેનુ શુ થયુ? ક્યા છે એ મુદા કોન તેના જવાબ કરશે..? મુંઝવણનો મારોને શાસન પ્રણાલીમા ગંભીર વિખવાદ
જાડામા ઝોન ફેર કોઇના હિત માટે સરેઆમ તરફેણ કરી થવા જઈ રહ્યી છે. દસકા સુધી આ 2017 ની યોજનામા ફેરફાર થઇ શકે જ નહી હા ખાસ કિસ્સામા સરકારની મંજુરી લઇ સામાન્ય ફેરફાર થઇ શકે પરંતુ તે આ ઝોનફેર માટે તુરંત લાગુ ન થાય હા જનરલબોર્ડ સર્વાનુમતે ઠરાવ કરે તો સરકારમા કઇ વિચારણા થઇ શકે…આવી અનેક ટેકનીકલ બાબતો સાથેની જે રજુઆત સી.એમ.પ્રદેશ પ્રમુખને થઇ છે તે પત્રો ક્યા છે? કોણે દબાવી રાખ્યા છે?? જાડાની પ્રિમાસીસમા(બહારના જવાબદારો નહી) ફરજ બજાવનાર અમુક માટે હાલ એક જ મુદાનો કાર્યક્રમ છે કે સેટીંગ વીખાય જાય નહી જેના ટુંકા વિશ્લેષણમાં એક વાત તે પણ છે કે આ બધા જ જાડા વિરૂધ્ધના પત્રો રજુઆતો વગેરેનુ શુ થયુ? ક્યા છે એ મુદા કોન તેના જવાબ કરશે…? મુંઝવણનો મારોને શાસન પ્રણાલીમા ગંભીર વિખવાદની આ પરીસ્થિતિ હવે થાળે કેમ પડે.? વિરોધ કેમ શાંત થાય? હોબાળા વચ્ચેય બધુ સમુનમુ કેમ થાય તે માટે જાડા જનરલ બોર્ડના જવાબદાર પાટનગર દોડીને જઇ તો આવ્યા છે તેમજ અમદાવાદ સુરતના કોઇ કોઇ અહી ચક્કર લગાવી ફોર્મ્યુલા કહી ગયા છે તે મુજબ આ ઝોન પ્રકરણ અગળ વધશે તેવુ અનુમાન અમુક ચબરાકોએ કર્યો છે.