Mysamachar.in-અમદાવાદ
રાજ્યના મેટ્રો સીટી અમદાવાદમાં ચાલતા દેહવ્યાપારના રેકેટ પર પોલીસ છાપો માર્યો છે, અમદાવાદના કૃષ્ણનગરમાંથી એક કૂટણખાનું ઝડપાયું છે. કૃષ્ણનગર પોલીસે આ મામલે 3 મકાનમાંથી 11 યુવતીઓને મુક્ત કરાવી છે. અહી યુવતીઓ પાસે આવનાર ગ્રાહકો પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો, કૃષ્ણનગરમાં 3 મકાન ભાડે રાખીને રાજુ યાદવ નામનો વ્યક્તિ છેલ્લાં કેટલાક સમયથી આ કૂટણખાનું ચલાવતો હતો. જ્યાંથી 11 યુવતીઓને પોલીસે મુક્ત કરાવી છે,
કૃષ્ણનગર વિસ્તારમાં ઓડાના મકાન આવેલા છે, ત્યાં ઔડાના 3 મકાનમાં ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર રાજુ યાદવ નામના આરોપીએ મુંબઈ, મહારાષ્ટ્ર અને બંગાળથી યુવતીઓને બોલાવતો હતો અને તેમની પાસે અનૈતિક કામ કરાવતો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે રૂમનો દરવાજો બહારથી બંધ હતો. અંદર મકાનમાં યુવતીઓને રાખવામાં આવી હતી. પોલીસ રૂમમાં અંદર પહોંચી તો ચોંકી ઉઠી હતી. મકાનની અંદર ગ્રાહકોને વીઆઈપી જેવી સુવિધાઓ આપવામાં આવતી હતા.
ઔડાના મકાનના રૂમોમાં એસી, એલઈડી ટીવી સહિતની સુવિધાઓ પણ રાખવામાં આવી હતી. કૃષ્ણનગર પોલીસે કાર્યવાહી દરમિયાન એક ગ્રાહકની પણ ધરપકડ કરી છે. પોલીસે કાર્યવાહી કરતા રોકડા રૂપિયા 14,540, ત્રણ એલઈડી ટીવી, 5 એસી, 12 મોબાઈલ અને 1 રિક્ષા જપ્ત કરી છે. રાજુ યાદવ નામના શખ્સ કુટણખાનું ચલાવતો હતો તે વ્યક્તિ ફરાર થઈ ગયો છે. કૃષ્ણનગર પોલીસે કુટણખાનું પકડી વધુ કાર્યવાહી શરૂ કરી છે.