Mysamachar.in-જામનગર
જામનગરમાં આજથી એક અઠવાડિયા સુધી સાંજથી ચા પાન ની દુકાનો બંધ રહેવાની છે ત્યારે અનલોક જાહેર કર્યા બાદ સરકાર પણ ઇચ્છે છે વેપાર ધંધા ઉદ્યોગ સ્વયંભુ લોકડાઉન રાખે અને પાળે કેમકે સરકાર અનલોક બાદ પાછા વળવા માંગતી નથી નહીતો લોકડાઉનની ખરેખર હવે તાતી જરૂર છે, કોરોનાના વધતા સંક્રમણ ને જોતા જામનગર વેપારી મહામંડળ દ્વારા નિર્ણય લેવાયો છે, આજે સોમવારથી એક સપ્તાહ સુધી ચા પાનની દુકાનો સવારે 8 થી સાંજે 6 સુધી જ ખુલ્લી રહેશે ત્યારબાદ સ્વૈચ્છીક બંધ રાખવામાં આવશે ત્યારે હાલની સ્થિતિમાં આ નિર્ણય આવકારદાયક છે, તેમજ જુદા-જુદા પ્રકારના વેપાર ધંધામા પણ આવા પ્રકારના અમુક કલાકોના સ્વયંભુ લોકડાઉન થાય તેવી શક્યતાઓ છે કેમકે આ પહેલા ગ્રેઇન મારકેટમાં બપોરબાદના લોકડાઉનને સ્વૈચ્છાએ અમલમાં મુકાયુ હતુ.
હાલની કોરોના સંક્રમણની સ્થિતિ બેકાબુ છે અને વહીવટી તંત્ર પણ ભારે ધંધે લાગ્યું છે, કેમકે કોરોનાને વધતો અટકાવવાનો કોઇ વિકલ્પ જ નથી,(સિવાય સ્વયમ શિસ્ત લોકજાગૃતિ) તંત્ર માસ્ક સોશ્યલડીસ્ટન્સ તેમજ સેનેટાઇઝેશન ના આગ્રહ રાખી બીનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપી ઘરમાં રહેવુ હિતાવહ છે તેમ જણાવે છે પરંતુ જામનગર શહેર અને જિલ્લામાં પોણા 300 થી વધુ કુલ દર્દીઓ નોંધાયા છે તેમાંથી અમુક તો માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનુ ચુસ્ત પાલન કરતા હતા તેમજ અમુક તો મોટાભાગે ઘરમાં જ રહેનારા હતા તેનો અર્થ એ નથી કે માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ ના નિયમ પાળવા નહી પરંતુ આનો અર્થ એ છે કે માસ્ક સેનેટાઇઝેશન ઉપરાંત પણ આપણે અન્ય ઘણી બાબતે કાળજી લેવાની જરૂર છે,
કેમકે કાગળથી માંડી જુદી જુદી ચીજવસ્તુઓ ધાતુઓ ઉપર પણ કોરોના વાયરસ અમુક કલાક એક્ટીવ રહે છે ત્યારે પાન બીડી તમાકુ ચા વગેરેની ખરીદી વખતે લોકો બાકસ કેબીન દુકાન ઠંડા પીણાના ગ્લાસ ચા ના કપ ગ્લાસ રકાબી હાથ લુછવાના કપડા વગેરેનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ બધુ જ સતત સેનેટાઇઝડ કરવાની જરૂર છે માટે અમુક કલાકના સ્વૈચ્છીક લોકડાઉન ની સાથે ચા પાન ની દુકાને આવી તકેદારી રાખવી સલાહ ભર્યુ છે તેમજ જેટલા કલાક આ દુકાનો ખુલી હોય ત્યારે ગ્રાહકો દૂર દૂર ઉભા રહે તે જરૂરી છે,
આવુ જ શાકભાજી ફળ કરિયાણા દરણા ઘંટીઓ સ્ટેશનરી વગેરેના વેંચાણ ના સ્થળોએ આવી જુદી જુદી તકેદારીઓ ની જરૂર છે તેમજ રીક્ષા બસ છકડા વગેરેમાં સોશ્યલ ડીસ્ટન્સના પાલન જરૂરી છે આવી તો અનેક બાબતો છે જેની ગફલત રોગના શિકાર બનાવે છે અને શહેરમાં આમ જ બન્યુ છે કે સંક્રમણ વધતુ જ જાય છે, આમ ચા- પાન ની દુકાનો સાંજ બાદ બંધ રખાય તે સારી બાબત છે કે એટલીસ્ટ એટલા કલાક લોકો એકઠા નહી થાય પરંતુ એથી વધુ જરૂરી એ છે કે ચા પાન ની દુકાનો ખુલી હોય ત્યારે આરોગ્યના તમામ નિયમો ના ચુસ્ત પાલન થાય તે વધુ આવકાર્ય છે.
-અમને વિશ્વાસ છે કે વેપારીઓ સહકાર આપશે અમે સહમતી પણ લીધી છે:સુરેશ તન્ના
જામનગરમાં સતત સંક્રમણ વધી રહ્યું છે, તેને કેમેય કરીને ઓછું કરી શકવામાં જો મદદરૂપ થવાતું હોય તો આ નિર્ણયમાં વેપારીઓ સ્વયમ સહકાર આપશે અને અમે વેપારીઓની પણ સહમતી લીધી છે, તેમ વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્નાએ “માયસમાચાર” સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.