Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના જામજોધપુર ખાતે આવેલ સર્કીટ હાઉસમાં આજે તલાટી કમ મંત્રીનો ગળેફાંસો ખાઈ આપઘાત કરવાની ઘટના સામે આવી છે, પ્રાથમિક વિગતો મુજબ જામજોધપુર તાલુકાના મેઘપર, બુટાવદર ઝીણાવારી ગામમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિ સર્કિટ હાઉસમાં દોરડા વડે ગળાફાંસો ખાઇને જીવન લીલા સંકેલી છે, ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ છે અને આત્મહત્યા પાછળ કારણ શું…? સુસાઈડ નોટ કે છે તે સહિતની તપાસ હાથ ધરી છે.