Mysamachar.in-જામનગર
વરસાદ વરસે એટલે કેટલાય નબળા કામોની પોલ ખુલ્લી પડી જાય…અને આવા દાખલો ભૂતકાળમાં સામે આવ્યા છે અને સામે આવતા રહે છે, જામનગર જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસ્યો…. જામનગર જીલ્લામાં પડેલા માત્ર એક જ વરસાદે સરકારી તંત્રની પોલ ખોલી નાખી હોય તેમ જામનગરથી જોડીયા તરફ જવાના માર્ગ પર મોટા ગાબડાં પડી ગયા છે. તેમજ જોડિયા ગામની ઉંડ નદી ઉપર બનાવવામાં આવેલા પુલમાં વરસાદને કારણે ભારે નુકશાન થતા બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો છે. જેના કારણે આ રોડ પરથી વાહનવ્યવહાર માટે મનાઈ કરી દેવામાં આવી છે.જો કે આ ગાબડાઓ થી કોને ફાયદા થયા હશે તે સૌ જાણે છે.