Mysamachar.in-જામનગર
ભારત સરકારના શિક્ષણ વિભાગ ધ્વારા (MHRD ધ્વારા) નવી શિક્ષણનીતિ અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવેલો છે. આ જ રીતે ગુજરાત સરકાર ધ્વારા પણ નવી શિક્ષણનીતિ સંદર્ભ હાલમાં ટાસ્ક ફોર્સની રચના કરી અને વહેલી તકે આ મુજબ અમલવારી કરવા હાલ કામગીરી શરૂ કરવામાં આવેલી છે. નવી શિક્ષાણનીતિ સંદર્ભમાં શિક્ષક મહેકમ સંદર્ભ કેટલીક બાબતોની જોગવાઈઓ થયેલી છે. ભવિષ્યમાં આ જોગવાઈ મુજબ અમલવારી કરવાની થાય તે સંદર્ભ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના સુચનો ધ્યાને લેવા સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે,
(1) RTE ACT-2009 ની કલમ 19 અને 25 ની જોગવાઈઓ તેમજ નવી શિક્ષણનીતિના શિક્ષક લાયકાતના મુદા નં. 5.5 મુજબ આગામી શિક્ષકના મહેકમ સંદર્ભ ફેરફાર કરવાની જરૂરિયાત છે. જે મુજબ ધો.1 થી 5માં (પ્રાથમિક વિભાગમાં) 150 વિધાર્થીએ 1 મુખ્ય શિક્ષકની જોગવાઈ છે. પરંતુ ગુજરાત સરકાર ધ્વારા મહેકમમાં આ મુજબ મુખ્ય શિક્ષક ફાળવવામાં આવતા નથી. આથી 120 થી 200 વિધાર્થીએ કુલ 5(પાંચ) શિક્ષક મળે છે. પરંતુ 150 વિધાર્થીએ 1 વધારાનો સીનીયર શિક્ષક / મુખ્ય શિક્ષક ફાળવવા બાબતે વિચારણા કરાવી જોઈએ.
(2) RTE ACT-2009 ની કલમ 19 અને 25 ની જોગવાઈઓ તેમજ નવી શિક્ષણનીતિ શિક્ષક લાયકાતના મુદા નં.5.5 મુજબ ધો.1 થી 8 ના સંકુલમાં ધો 6 થી 8 ની 100 સંખ્યા હોય તો ખંડ સમયના વ્યાયામ શિક્ષક, કલા શિક્ષક અને કાર્યાનુભવ શિક્ષક એમ ત્રણ શિક્ષકો ફાળવવાની જોગવાઈ છે. તેમજ નવી શિક્ષણનીતિમાં પણ આ પ્રકારની જોગવાઈ થયેલી છે.ત્યારે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવવા આવા શિક્ષકોને 250 કરતા વધુ વિધાર્થીઓવાળી પ્રાથમિક શાળાઓમાં સમાવવામાં આવે તો અલગ મહેકમ નો પ્રશ્ન ઉકેલી શકાય તેમ છે.
આમ ઉપરોકત વિગતે સરકાર ધ્વારા અગાઉ આ વિષયોમાં પ્રવાસી શિક્ષકોની નિમણુંકો આપવામાં આવેલી હતી. આ બાબતે પણ ખાસ કરીને શહેરી વિસ્તારમાં ખુબ મોટી શાળાઓમાં આ પ્રકારે ખંડ સમયના શિક્ષકો અથવા હાલના શિક્ષકો પૈકી આ વિષયની શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકોને ફાળવી અલગ મહેકમ બાબતે યોગ્ય વિચારણા કરવી જોઈએ તેવો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.