Mysamachar.in-જામનગર
હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કને મુદે જાગૃતતા દાખવવાના પ્રયાસો થઇ રહ્યા છે, અને સામાન્ય જનતાને લોકડાઉનનું ખૂબ જ સારી રીતે પાલન કરેલ છે. ત્યારે લોકડાઉનની વચ્ચે પણ કાલાવડ માર્કેટીંગ યાર્ડમાં બિલ્ડર કે પ્રશાસન દ્વારા અમલ કરવામાં આવેલ નથી અને પોતાના જ સ્વાર્થ માટે આ કામ ચાલુ રાખેલ તે બાબતનું ટેલીફોન દ્વારા મામલતદારને સેક્રેટરી તથા લાગતાં વળગતાને પણ ગુજરાત ખેડૂત એકતા મંચના જામનગર જીલ્લા પ્રમુખ રામદેવસિંહ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, તેવોએ તાજેતરમાં જ યાર્ડમાં થનાર દુકાનોની હરરાજીને મુલતવી રાખવા મુખ્યમંત્રીથી માંડીને કલેકટર જામનગર સુધી પણ રજૂઆત કરી છે,
તેમની રજુઆતમાં લખવામાં આવ્યું છે કે ખેડૂતો તથા આમ જનતાનું જે થાવું હોય તે થાય પણ પોતાના અંગત સ્વાર્થ માટે તા.23-6-2020 ના રોજ યાર્ડમાં દુકાનની હરરાજીનો કાર્યક્રમ રાખ્યો અને આ દુકાનની હરરાજી ન થાય તો આમા બાકી રહેતી દુકાનોની હરરાજી તા.25-6-2020 ના રોજ કરવાનો મનસ્વી નિર્ણય લીધો તેને બદલે ખેડૂતોના હિતમાં લીધો હોત તો સારૂ હતું ચણાની ખરીદી બંધ કરીને ખેડૂતને વાવણી વખતે બિયારણ ન ખરીદી શકે તો કોઈ નહીં શું હરરાજી કરીને યાર્ડના ખેડૂત કરતાં પોતાના ધંધાની વધારે કિંમત છે. ?
ભૂતકાળમાં તા. 2-1-2018 ના રોજ માર્કેટીંગ યાર્ડના વેપારીઑ અને દલાલો વચ્ચેની કમીશન બાબતેની તકરારમાં ખેડૂતોની જણસનું વેચાણ 15 દિવસ બંધ રાખેલ હતું ખેડૂતોનું હિત પ્રશાસન હૈયે નથી તે હકીકત નિર્વિવાદ છે. અને જો હોય તો દુકાનની હરરાજીને બદલે ખેડૂતોનો માલ શેડની બહાર પડેલ ન હોય તો તાત્કાલીક ખેડૂતો અને આમજનતાના હિતમાં અને કોરોના જેવી મહામારીમાં આ હરરાજી બંધ રહે તેવી આમજનતા અને ખેડૂતોની માંગણી છે.