Mysamachar.in-જામનગર
જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટીના પાંચમાં માળેથી આજે સવારે એક વિદ્યાર્થીએ ઝંપલાવ્યું હોવાનો બનાવ સામે આવતા 108 ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી, જો કે યુવકનું મોત નીપજ્યું હતું, જે રીતે વિગતો જાણવા મળી રહી છે તે પ્રમાણે ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટીમાં BAMSમાં અભ્યાસ કરતા વિજય ઠાકોર નામના વિદ્યાર્થીએ પાંચમાં માળેથી નીચે ઝંપલાવી આપઘાત કર્યાની વાતને યુનીવર્સીટીના અનુપ ઠાકરે સમર્થન આપ્યું છે, અને ઘટનાને દુખદ ગણાવી છે. મૃતક વિદ્યાર્થી વિજયે શું કારણે આપઘાતનું પગલું ભર્યું તે સામે આવ્યું નથી, આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે.જે બાદ આ ઘટનાનું સચોટ કારણ સામે આવી શકશે.