Mysamachar.in-જામનગર:
દર બે સપ્તાહે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળતી હોય છે, અને બેઠકમાં શહેરની સમસ્યા સહિતના પ્રશ્નોનું નિરાકરણ કઈ દિશામાં થઇ શકે વિકાસના કામો સહિતની ચર્ચાઓ થતી હોય છે, એવામાં તાજેતરમાં જ મળેલ એક બેઠકમાં સોલીડ વેસ્ટ વિભાગની કામગીરીને લઈને વિભાગ પાસેથી જવાબો માંગવામાં આવ્યા છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે..
તો શહેરમાં એક તરફ કેટલાય વિસ્તારોમાં સફાઈનો અભાવ છે તેવામાં લાંબા સમયથી અમુક સફાઇ કામદારો ગેરહાજર રહે છે, જેના કારણે તેની સીધી જ અસર જે તે વોર્ડની સફાઇ કામગીરી પર પહોચે છે તો આ બાબતે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને સોલીડ વેસ્ટ એસ્ટા શાખાએ સંયુકત રીતે કામગીરી કરવી જોઈએ,, તો બીજા મુદ્દામાં વ્હોરાના હજીરા પાસે આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ અન્વયે જરૂરી કચરો અલગ-અલગ રીતે પહોંચતો નથી અને આવો કચરો અલગ-અલગ કરીને ડમ્પીંગ પોઇન્ટ ખાતે બારોબાર વેચાણ થાય છે તેવી ગંભીર ફરિયાદ સ્ટેન્ડિંગ કમિટી સુધી પહોચી હોય આ બાબતે ફરીયાદનો નિકાલ કરવા અને પાર્ટી સાથે કરવામાં આવેલ એગ્રીમેન્ટની શરતો પ્રમાણે જે તે પાર્ટી સામે યોગ્ય કાર્યવાહી કરવાના આદેશો પણ કરવામાં આવ્યા છે.(હવે આમાં મૂળ સુધી પહોચાય તો સુચનાનું પાલન થયું કહેવાય)
તો અગાઉ “માય સમાચાર” દ્વારા મનપાએ આપેલ કરોડોની લોન બાદ કોઈ પરિણામ ના મળ્યું હોવાનો એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તે દરેડ પાસે આવેલ એબેલોન કંપનીને પ્લાન્ટ ઉભો કરવા માટે જે લોન આપવામાં આવેલ કુલ કેટલી રીકવરી બાકી રહે છે? અને વ્યાજ સહિત કેટલી રકમ બાકી રહે છે? તેની રી-પેમેન્ટની વિગતો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા માંગવામાં આવી છે,.(આમ કહે કે અમારી પાસે સ્વ ભંડોળ નથી, જ્યાં આવા રોકાયેલ છે ત્યાં કાર્યવાહી કરવી નથી…જોઈએ શું થાય છે)
વધુમાં જેતે સમયે આ લોન આપતા સમયે હોટલ, રેસ્ટોરન્ટ, સમાજની વાડીઓમાંથી નિકળતો ભીનો કચરો ડાયરેટ કંપનીની સાઇટ ઉપર પહોંચતો નથી અને કચરાની ગાડીમાં સાથે જતો હોય, આથી કોર્પોરેશનની આર્થિક નુકશાની જતી હોય.(આવો સ્વીકાર કરવો છે કે આર્થિક નુકશાની જાય છે પણ પગલા કેમ નથી લેવામાં આવતા) આથી, ફુડ શાખા, સોલીડ વેસ્ટ શાખા અને સબંધીત પાર્ટીએ કમિશ્નર લેવલે આ બાબતે સંકલન કરીને કાર્યવાહી કરવી અને હોટલ રેસ્ટોરન્ટ સમાજની વાડીઓમાંથી નિકળતા આવા કચરા અંગે થયેલ કાર્યવાહીનો રીપોર્ટ વખતો વખત દ૨ પંદર દિવસે ચે૨મેનને મોકલી આપવાનો રહેશે.(આવી સૂચનાઓ તો આપવામાં આવે છે હવે અમલવારી કેટલી જોઈએ…?)