Mysamachar.in-જામનગર;
જામનગર શહેરના વોર્ડ નં. 5 સનસાઈન સ્કુલ રોડ, જામનગર સમાજ કલ્યાણ સંધની (જગુભાઈ તન્ના હોલ) ની આસપાસ રહેતા રહેવાસીઓ દ્વારા કલેકટર કમિશ્નર સહિતનાઓને એક વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે,જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં સમાજ કલ્યાણ સંઘની સંસ્થા આવેલ છે. જે સંસ્થાનો હેતુ સમાજ કલ્યાણનો હોવો જોઈએ જેના બદલે આ સંસ્થા દ્વારા ઘણા સમયથી સમાજ કલ્યાણની પ્રવૃતિને બદલે સંસ્થાના જવાબદાર વ્યક્તિઓ દ્વારા આ સંસ્થામાં વેપારી પ્રવૃતિઓ જેવી કે આજુબાજુના લતાવાસીઓને શારીરિક તથા માનસિક તકલીફ થાય તેવી પ્રવૃતિ ચલાવવામાં આવે છે. તેવો આ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના કલાસીસ ચલાવવા જગ્યા ભાડે આપી, જગ્યાનો દુરુપયોગ કરી રહયા છે. આ સંસ્થામાં નીચે મુજબની પ્રવૃતિઓ દુરુપયોગ કરી રહયા છે. આ સંસ્થામાં નીચે મુજબની પ્રવૃતિઓ સંસ્થાની જગ્યા ભાડે આપી ચલાવવામાં આવે છે.
-ડાન્સ કલાસીસ
-દાંડીયા કલાસીસ
-બથડે પાર્ટી તથા લગ્ન પ્રસંગે કાર્યક્રમ માટે તથા મીટીંગ માટે
-સ્કેટીંગ
-યોગ કલાસીસ વગેરે પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે
-બાસ્કેટ બોલ, વોલીબોલ કલાસીસ
આ બધી પ્રવૃતિ ચાલતા સમય બધી પ્રવૃતિ માટે આવતા લોકો લતામાં રહેતા તમામ રહેવાસીઓને (બાળકો, વડીલો, વૃધ્ધો) ને કન્નડગત થાય તે રીતે વાહનો પાર્કીંગ કરે છે જેથી લતાવાસીઓને આવવા જવામાં ખુબ જ હાડમારી ભોગવવી પડે છે.આ બાબતે હમણા થોડા સમય પહેલા એક કાકાની તબિયત લથડતા એમ્બ્યુલન્સ બોલાવાની ફરજ પડેલ પરંત અહી આડેધડ પાર્કીંગ હોવાના કારણે એમ્બ્યુલન્સ પણ આવી શકેલ નહિ આવી જ રીતે ચાલુ રહયુ તો કયારેક દુર્ઘટના સમયે મોટી જાનહાની થશે તો જવાબદારી કોની ?
વિવિધ ડાન્સ કલાસીસ, દાંડીયા કલાસીસ તથા બર્થડે પાર્ટી તથા લગ્ન સમારોહના આયોજન વખતે ખુબ જ મોટા અવાજે ડીજે સંગીત વગાડવામાં આવે છે તેમજ આવા ડાન્સ કલાસીસમાં આવતા અમુક યુવક-યુવતિઓ અભદ્ર વર્તન કરતા હોય છે અને ખુબ જ ઉચ્ચા અવાજે ડીજે વગાડવામાં આવે છે જેથી સોસાયટીમાં રહેતા બાળકોને અભ્યાસમાં ખલેલ પહોંચે છે તેમના માનસ ઉપર વિકૃત અસર જાગે છે. મોટી ઉંમરના વડીલો, વૃધ્ધો શાંતિથી રહી શકતા ન હોય. અવારનવાર રજુઆત કરવા છતાં આ લોકો કહે છે થાય એ કરી લીયો આમ જ રહેશે જેવું તોછડું વર્તન વડીલો સાથે કરે છે.
મોટા યુવકો બાસ્કેટબોલ તેમજ વોલીબોલ રમતાં હોય જેનો દડો ખુબ જ વજનદાર હોય ધણી વખતે રમતા રમતા આ આ દડાનો ભોગ તથા વૃધ્ધ બનતા હોય છે. આ બાબતે તેમના ટ્રસ્ટીઓ સાથે મૌખિક વાત કરેલ તેમજ આના પહેલા પણ એક અરજી કલેકટર તથા કમિશ્નરમાં આપેલ હતી તેનો પણ હજુ સુધી કોઈ પ્રત્યુતર મળેલ નથી.
આમ જામનગર સમાજ કલ્યાણ સંઘ નામની સંસ્થા સમાજ કલ્યાણની પ્રવૃતિને બદલે વેપારી પ્રવૃતિઓ માટે જગ્યા ભાડે આપી આ સંસ્થા હેતુફેર ઉપયોગ કરી આ વિસ્તારના રહેવાસીઓને શારીરિક, માનસિક તકલીફ થાય તેવી રીતે આ જગ્યાનો દુરપયોગ કરે છે. જેથી આ અંગે તાત્કાલિક યોગ્ય પગલા લેવા અરજ છે અન્યથા આ વિસ્તારના લોકો કોર્ટ કચેરીમાં પી.આઈ.એલ. (પબ્લીક ઈન્ટ્રસ્ટ લીટીગેશન) દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.