Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીએ મનપા દ્વારા થઇ રહેલા કામોની આજે આકસ્મિક મુલાકતો લીધી હતી, અને જરૂરી સૂચનાઓ પણ સ્થળ પર અધિકારીઓને આપી હતી, તળાવની પાળ રણમલ લેઈક પ્રોજેકટ મુલાકાત લેતા હાલે લોકડાઉનના હિસાબે શહેરીજનોની અવર જવર બંધ હોય પરંતુ રણમલ તળાવ પરિસરમાં રોજીંદી સફાઈ અંગે જરૂરી સૂચનાઑ આપવામાં આવી ઉપરાંત જામનગર શહેરના લોકોની પીવાના પાણીની રોજબરોજની જરૂરીયાત અન્વયે પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદ્ધ બનાવવા પંપ હાઉસ ખાતે નવા ફિલ્ટર પ્લાન્ટ અને સમય બનાવવા અંગેની કામગીરી ચાલુ છે. જે ચાલુ કામગીરીની મુલાકાત લઇ આ અંગે વોટર વર્કસ શાખા સાઇટ ઇન્ચાર્જ પાસેથી કામના પ્રોગેસ અંગે જાણકારી મેળવેલ હતી. તો લાલપુર રોડ પાસે કિર્તી પાનથી અંદરની તરફ જતાં શુભમ રેસીડેન્સિવાળા ડી.પી રોડ જે સી.સી. રોડ બનાવવાનું મંજૂર કરવામાં આવેલ છે. તે અન્વયે હાલે રોડના ખોદાણ કામની કામગીરી ચાલુ છે. જે ચાલુ કામગીરીની મુલાકાત વખતે વોર્ડના સ્થાનિક કોર્પોરેટર અતુલ ભંડેરી પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને સાઇટ ઇન્ચાર્જ પાસેથી કામના પ્રોગેસ અંગે જાણકારી મેળવેલ હતી.