Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં ચાલતા વિવિધ કામોની મુલાકાત છાસવારે પદાધિકારીઓ અને અધિકારીઓ લેતા હોય છે, પણ સ્ટે.ચેરમેન સુભાષ જોશી આ બાબતે વધુ અગ્રેસર છે, એવામાં આજે પણ તેવોએ વિવિધ કામોની મુલાકાત લઇ જરૂરી સૂચનો કર્યા, જામનગર મહાનગરપાલિકા ધ્વારા જીયુડીસી તથા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાંટ અંતર્ગત દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફ જતા રસ્તા ઉપર રેલ્વે ઓવરબ્રિજના બને સાઇડના એપ્રોચીસજે અંદાજીત 500મી. લંબાઈ અને 2 (ટુ) લેન પહોળાઈ તથા 7.50 મી. અને 8.50 મી. ઉંચાઈના રેલ્વે ઓવરબ્રિજનું કામ જે ચાલી રહ્યું છે. જે ચાલુ કામમાં દિગ્જામ સર્કલ બાજુએ ગડરનું કામ ચાલુ હોય જેનું નિરીક્ષણ કરવામાં આવેલ હતું.
વધુમાં, નલ જે જલ યોજના સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાંટ અંતર્ગત ઢીંચડા ઝોન રવિ પાર્ક ઈ.એસ.આર. વિસ્તાર હેઠળના વિસ્તારો જેવા કે, નીલકંઠ પાર્ક, રવિ પાર્ક, તીરુપતીનગર, યોગેશ્વરનગર, બાલાજી પાર્ક, સેનાનગર, વાયુંનગર, દ્વારકાધીશ સોસાયટી-1-2-3 વી. વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈનનું કામ અંદાજે 1735 મી. મુખ્ય પાણીની પાઈપ લાઈન 300 થી 600 એમ.એમ.ડાયા સુધીની નાંખવામાં આવેલ છે. જે ચાલુ કામનું પણ નિરક્ષણ કરવામાં આવેલ હતું. આ પાઈપ લાઈન નાંખવાથી સ્થાનિકે અંદાજે 5500 થી 6000 જેટલા ઘરોને નળવાટે પીવાનું પાણી મળશે અને સરકારની નલ સે જલ યોજના સાર્થક થશે.
ઉપરોકત કામોની મુલાકાત સ્ટે. કમિટી ચેરમેન સુભાષ જોષી ધ્વારા લેવામાં આવેલ ત્યારે પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની, વોટર વર્કસ શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર પી.સી.બોખાણી, ડે. એન્જીનીયર અલ્પેશભાઈ ચારણીયા, ઉપસ્થિત રહેલ અને જરૂરી માહિતી પદાધિકારીને પૂરી પાડી હતી.