Mysamachar.in-જામનગર:
કોરોના મહામારીએ સમગ્ર ગુજરાતને ઘમરોળ્યું છે, અને થોડા સમયથી માંડ કેસો ઓછા થયા છે, પરંતુ હજુ પણ સરકારે રાજ્યના કેટલાક શહેરોમાં રાત્રી કર્ફ્યું સહિતના નિર્ણયો યથાવત રાખ્યા છે, એવામાં દરવર્ષે શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં લોકમેળાનું એક અનેરું મહત્વ છે, પણ કોરોના મહામારીને કારણે આ વર્ષે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની જેમ જામનગરમાં પણ સતત બીજા વર્ષે લોકમેળા રદ કરવાનો નિર્ણય આજે મળેલ જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે, સરકારની ગાઈડલાઈન્સને ધ્યાને લઈને જામનગરમાં દરવર્ષે યોજાતા લોક મેળાને રદ કરવાનો સતત બીજા વર્ષે નિણર્ય કરવામાં આવ્યો છે, જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નદીના પટ્ટમાં યોજાતા શ્રાવણી મેળામાં જામનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ મેળાની મોજ માણવા માટે આવતા હોય છે, પણ કોરોના મહામારી અને તકેદારીને જોતા આ વર્ષે લોકમેળા રદ કરવાનો નિર્ણય કર્યાનું સ્ટે.કમિટી ચેરમેન મનીષ કટારીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.