Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના લાલપુરના મચ્છુબેરાજા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, લાલપુર પોલીસ મથકે મળતી વિગતો પ્રમાણે લાલપુર તાલુકાના મચ્છુબેરાજા ગામે વસવાટ કરતા પ્રકાશભાઈ ભવાનભાઈ પરમારનો પુત્ર નીરવ પ્રકાશભાઈ તેની વાડીએ મોટર બંધ કરવા જતા ઈલેક્ટ્રીક તાર ઉપર પડતા ઈલેક્ટ્રીક શોટ લાગતા તેને બચાવવા તેના પિતા મરણજનાર પ્રકાશભાઈ જતા તેને પણ ઈલેક્ટ્રીક શોટ લાગતા પિતા પુત્ર બન્નેનું ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ચુક્યો છે.