Mysamachar.in-જામનગર:
જામનગર આ વખતે ચુંટણીઓમાં સતવારા સમાજ ભાજપથી નારાજ ચાલી રહ્યો હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે, અને વારંવાર ટેકાની વાતો અંગે વધુ એક વખત સતવારા સમાજના પ્રમુખ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.ભાજપ દ્વારા સતવારા સમાજના ભાજપના હોદેદારો દ્વારા ભાજપને ટેકો આપી અને સતવારા સમાજ એ ટેકો આપ્યો એવો લોકો અને સમાજમાં ભ્રમ ફેલાવવા પ્રયત્ન ભાજપ દ્વારા થયો હોય એવો સતવારા સમાજના પ્રમુખ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવતા આ મામલો ફરી તાજો થયો છે અને સતવારા સમાજની અવગણના ભારે પડી જશે તેમ લાગે છે, થોડા દિવસો પૂર્વે સતવારા સમાજના મુરબ્બી અને વર્ષોથી ભાજપ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલા જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ભનાબાપાએ પક્ષમાંથી રાજીનામું આપી અને આ ચૂંટણીમાં ભાજપના એક પણ ઉમેદવારને મત નહિ આપવા અપીલ કરી હતી
જે બાદ તાજેતરમાં જ બેડ ગામે ભાજપના એક સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના કેટલાક આગેવાન હોય તેવા સતવારા સમાજના વ્યક્તિઓએ ભાજપને સતવારા સમાજનો ટેકો આપ્યો છે તેવો પ્રચાર કરી અને સમગ્ર સતવારા સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહયાનું પ્રમુખે જણાવ્યું છે,આ લેટરમાં વધુમાં જાણવામાં આવ્યું કે આવી જ રીતે હાપા ખાતે પણ એક મીટીંગ યોજાઈ હતી જેમાં સતવારા યુવાનોએ ટેકો આપવાની વાત કરી તે સતવારા સમાજના વ્યક્તિઓ પાસે સતવારા સમાજનો કોઈ હોદો જ નથી આ ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ અને અન્ય સક્રિય સભ્ય પણ સતવારા સમાજ ના હોદેદાર ના હોવા છતાં પણ ભાજપને ટેકો આપવાની વાત જાહેર કરી સતવારા સમાજમાં ભ્રમ ફેલાવી રહ્યા છે,
આમ સામે આવેલ આ લેટરમાં ભાજપમાં હોદેદાર હોય પરંતુ સતવારા સમાજમાં કોઈ હોદેદાર ના હોય તેવા જો ભાજપને ટેકો આપે છે તેવા લોકોને ચેતવણી આપવમાં આવી છે કે સતવારા સમજે ભાજપનો આ ચુંટણીમાં બહિષ્કાર કર્યો છે,સતવારા સમાજ વડીલ માર્ગદર્શક ભનુભાઈ ચૌહાણ જણાવ્યું કે જે સમાજ છેલ્લા ચાર દાયકાથી ભાજપને મતો રૂપી ઝોળી ભરી રહ્યો છે છતાં ભાજપ દ્વારા બે દાયકાથી સતવારા સમાજને ધારાસભામાં ટીકીટ કે અન્ય હોદાઓના આપી અને રીતસર સતવારા સમાજની અવગણના કરવામાં આવી રહી છે હોવાથી ભનાબપાએ પણ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે અને અન્ય કોઈ પક્ષોમાં જોડાવવાના બદલે માત્રને ને માત્ર પોતાના સમાજને ન્યાય મળે તે માટે રાજીનામું આપ્યાનું જણાવ્યું છે.