Mysamachar.in-જામનગર:
જે પ્રોજેક્ટ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રીજ હવે નિર્માણની દિશા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આ કામ જે રસ્તા પર પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાની રાહબરી હેઠળ શરુ થવા જઈ રહ્યું છે તે રસ્તાઓ પર વાહનોની અવરજવરને લઈને મ્યુ.ક્મીશ્નર દ્વારા જરૂરી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, સાત રસ્તા થી સુભાષ બ્રિજ સુધીનો માર્ગ પર ફોરલેન એલિવેટેડ ફ્લાય ઓવર બનાવવાનું કામ હાલ ચાલુ હોવાથી સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.2/8/2021 થી તા.31/01/2023 સુધી નીચે જણાવેલ રસ્તા પર વાહન વ્યવહાર ભારે વાહનો માટે બંધ રાખવા જાહેરનામુ પાડવામાં આવ્યું છે.
ભારે વાહનો તથા એસટી બસ પ્રાઇવેટ બસ માટે રસ્તો બંધ તે રૂટસાત રસ્તા સર્કલ થી ગુરુદ્વાર ચોકડી સુધી જવાના માર્ગ પર ભારે વાહનો તથા એસટી બસ પ્રાઇવેટ બસ બંધ રહેશે.જ્યારે હાલ ગુરુદ્વાર ચોકડી થી સાત રસ્તા સર્કલ તરફ જતા ડાબી બાજુ તરફનો ટ્રાફિક માર્ગ તથા જમણી બાજુ વાલ્કેશ્વર સોસાયટી નો ટ્રાફિક માર્ગ પર ભારે વાહનો તથા એસટી બસ પ્રાઇવેટ બસ માટે બંધ રહેશે તથા તે માર્ગ પર ટુ વ્હીલર, ફોરવીલર નાના વાહનો ચાલુ રહેશે.ઉપરોક્ત ભારે વાહનો તથા એસ.ટી બસ, પ્રાઇવેટ બસ માટે રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં શહેરમાં અલગ અલગ જગ્યાએ જવા માટે 6 રૂટ નક્કી કર્યા છે તે નીચે મુજબ છે.
જે જામનગર શહેરમાંથી રાજકોટ રોડ તરફ જતાં કે આવતા ભારે વાહનો તથા એસટી બસ પ્રાઇવેટ બસ માટે ડાયવર્ઝન રોડ ગૌરવ પથ રોડ પરથી ટાઉનહોલ થઈ બેડી ગેટ થી કાશીવિશ્વનાથ રોડ પર થઈ સુભાષ બ્રિજ થી રાજકોટ રોડ તરફ જઇ શકાશે.
રાજકોટ રોડ સુભાષ બ્રિજ પાસેથી જામનગર શહેરમાં આવતા ભારે વાહનો તથા એસટી બસ પ્રાઇવેટ બસ માટે સુભાષ બ્રિજ થી ત્રણ દરવાજા થી બેડી ગેટથી ટાઉનહોલ થી ગૌરવપથ રોડ પર થઈ સાત રસ્તા સર્કલ થી ઓશવાળ સેન્ટર પરથી દિગ્જામ સર્કલ સુધી જઈ શકાશે.
જામનગર શહેરમાંથી રાજકોટ રોડ તરફ જતા કે આવતા વાહનો માટે મીગ કોલોની થી ગૌરવ પથ રોડ પરથી ટાઉનહોલ બેડી ગેટ થી કાશીવિશ્વનાથ રોડ પરથી સુભાષ બ્રિજ થી રાજકોટ રોડ તરફ જઇ શકાશે.રાજકોટ રોડ સુભાષ બ્રિજ પાસેથી જામનગર શહેરમાં આવતા ભારે વાહનો માટે સુભાષ બ્રિજ થી ત્રણ દરવાજા થી બેડી ગેટ ટાઉનહોલ ગૌરવ પથ થી મિગ કોલોની સુમેર ક્લબ રોડ તરફ જઇ શકાશે.
જામનગર શહેરમાં થી રાજકોટ રોડ તરફથી આવતા વાહનો માટે સુમેર ક્લબ રોડ થી ઓસવાળ હોસ્પિટલ થી દિગ્વિજય પ્લોટ મેઈન રોડ થી પવનચક્કી સર્કલ થી લાલપુર બાયપાસ ચોકડી તરફથી જઇ શકાશે.રાજકોટ રોડ થી જામનગર શહેરમાં આવતા વાહનો માટે લાલપુર બાયપાસ ચોકડી તરફથી પવનચક્કી સર્કલથી દિગ્વિજય પ્લોટ મેઈન રોડ થી સુમેર કલબ રોડ તરફ જઇ શકાશે.
-વૈકલ્પિક વ્યવસ્થા
-જામનગર શહેર માંથી રાજકોટ રોડ તરફ જતા કે આવતા ભારે વાહનો તથા એસ.ટી. બસ / પ્રાઇવેટ બસ માટે ડાયવર્ઝન રોડ ગૌરવ પાથ રોડ પર થી ટાઉન હોલ થઇ બેડી ગેઇટ થી કાશી વિશ્વનાથ રોડ પર થઈ સુભાષ બ્રીજ થી રાજકોટ રોડ તરફ જઈ શકશે.
-રાજકોટ રોડ સુભાષ બ્રીજ પાસેથી જામનગર શહેર માં આવતા ભારે વાહનો તથા એસ.ટી. બસ / પ્રાઇવેટ બસ માટે સુભાષ બ્રીજ થી ત્રણ દરવાજા થી બેડીગેઈટ થી ટાઉન હોલ થી ગૌરવ પાથ રોડ પર થઇ સાત રસ્તા સર્કલ થી ઓશવાળ સેન્ટર રોડ પર થી દિક્જામ સર્કલ સુધી જઈ શકશે.
તથા
-જામનગર શહેર માંથી રાજકોટ રોડ તરફ જતા કે આવતા વાહનો માટે મીગ કોલોની થી ગૌરવ પાથ રોડ પર થી ટાઉન હોલ થઇ બેડી ગેઇટ થી કાશી વિશ્વનાથ રોડ પર થઈ સુભાષ બ્રીજ થી રાજકોટ રોડ તરફ જઈ શકશે.
-રાજકોટ રોડ સુભાષ બ્રીજ પાસેથી જામનગર શહેરમાં આવતા ભારે વાહનો માટે સુભાષ બ્રીજ થી ત્રણ દરવાજા થી બેડીગેઈટ થી ટાઉન હોલ થી ગૌરવ પાથ થી મીગ કોલોની થી સુમેર ક્લબ રોડ તરફ જઈ શકશે.
તથા
-જામનગર શહેર માંથી રાજકોટ રોડ તરફ જતા કે આવતા વાહનો માટે સુમેર ક્લબ રોડ થી ઓશવાળ હોસ્પિટલથી દિગ્વિજય પ્લોટ મેઈન રોડ થી પવનચક્કી સર્કલ થી લાલપુર બાયપાસ ચોકડી તરફ થી જઈ શકશે.
-રાજકોટ રોડ પરથી જામનગર શહેર માં આવતા વાહનો માટે લાલપુર બાયપાસ ચોકડી તરફથી પવનચક્કી સર્કલ થી દિગ્વિજય પ્લોટ મેઈન રોડ થી સુમેર ક્લબ રોડ તરફ જઈ શકશે.