Mysamachar.in-જામનગર
છેલ્લા કેટલાય સમયથી જામનગર શહેરમાં ત્રીજા સ્મશાનનું નિર્માણ થાય તે મુદ્દો ગાજી રહ્યો છે, અને ખરેખર જોઈએ તો જામનગર શહેરની હદદિશાઓ વધી અને તે હદદિશાઓ પ્રમાણે સ્મશાનની જરૂરિયાત છે પણ ખરા…આ સ્થિતિને જોતા એવું નક્કી થયું હતું કે લાલપુર બાયપાસ નજીક સ્મશાન બનાવવું….આવી જાહેરાતો પણ મનપા દ્વારા થઇ હતી,ગત સામાન્યસભામાં પણ આ મુદ્દો ભારે ગાજ્યો હતો, લાલપુર બાયપાસ પાસે જ્યા સ્મશાન બનાવાનુ હતુ ત્યા હવે કોર્પોરેશન એટલા માટે સ્મશાન નથી બનાવતુ કારણ કે ત્યા આજુબાજુ મોટા બીલ્ડરોની જમીન આવેલી છે.
અને ત્યા સ્મશાન બને તો તે બિલ્ડરોની જમીનના ભાવ ગબડી જાય તેમ છે તેવા આક્ષેપો ગત જનરલ બોર્ડમાં થયા હતા, જો કે આ આક્ષેપો બાદ ડેપ્યુટી મેયર કરશન કરમુરે કહ્યું કે ટેકનીકલ કારણ ગાડા માર્ગનુ હોઇ ત્યા સ્મશાન ન બને તેવુ જાહેર કરાયુ છે જે નવા જીડીસીઆર મુજબ શક્ય નથી, એટલે હવે તાત્કલિક મનપા બીજી જગ્યા શોધી અને ત્યા સ્મશાન માટેની કાર્યવાહી મનપા કરશે આવો આશ્ચર્યજનક જવાબ સામાન્ય સભામાં સાંભળવા મળ્યો હતો.