Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં કોરોના મહામારીના કારણે અનેક બાગ બગીચા અને અભયારણ્ય છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોની સુરક્ષાને ધ્યાને લઈને બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં તમામ અભ્યારણ 15મી ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લેવાતા ગીર અભ્યારણ 16 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે.વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગીર અભ્યારણ જોવા આવતા પ્રવાસીઓ સોશિયલ distance, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો પડશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઇડ લાઇનનો પણ ચુસ્ત પાલન કરવાની શરતે આ તમામ અભ્યારણ ખોલવામાં આવશે. રાજ્યમાં આવેલા બે સફારી પાર્ક પહેલી તારીખથી શરૂ કરી દેવામાં આવ્યા છે. આ સફારી પાર્કના અનુભવોને ધ્યાનમાં લઈને 15મી ઓક્ટોબરથી અભ્યારણ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.