Mysamachar.in-ગાંધીનગર
છેલ્લા કેટલાક સમયથી દારૂબંધીને લઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના કટાક્ષભર્યા નિવેદનો સોશ્યલ મીડિયા સહિતના માધ્યમોથી આવતા રહે છે, અને તેવો રાજ્યસરકાર પર આ મામલાને લઈને આંગળીઓ ચીંધતા રહે છે, એવામાં વધુ એક વખત શંકરસિંહે ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની ફેવરકરે છે. તેમણે હવે આ કહેવા પૂરતી દારૂબંધીને દૂર કરવાની વાત કરીને સોશિયલ મીડિયા પર હેશટેગ મુહિમ ચલાવી છે. તેમજ દારૂબંધીના નુકસાન અને દારૂબંધી હટાવવાના ફાયદા ગણાવ્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવ્યા છે. તેઓ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાના પક્ષમાં છે. આ વિશે અનેકવાર તેઓ જાહેરમાં બેધડક બોલી ચૂક્યાં છે. ત્યારે હવે ગુજરાતને કહેવાતી દારૂબંધીથી મુક્તિ આપવા શંકરસિંહ વાઘેલાએ હવે ઓનલાઈન અભિયાન પણ શરૂ કર્યું છે. જેમાં તેઓએ ગુજરાતીઓને સ્પષ્ટ વાત પૂછી છે કે, શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો? સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર આવીને લોકોને આ માટે સાથે આવવા અને પોતાનો મત આપવા તેમણે જણાવ્યું છે. શંકરસિંહે પોતાના ટ્વીટરમાં પોસ્ટ મૂકીને લોકોનો અભિપ્રાય માંગ્યો છે અને #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે પોસ્ટ કરી લોકોને દારૂબંધી બાબતે ઝુંબેશમાં જોડાઈને પોતાનો અવાજ ઉઠાવવા કહ્યું છે.અને વધુમાં તેવોએ લખ્યું છે કે દારૂના બ્લેક માર્કેટને કારણે ન તો રાજ્યને ટેક્સ મળી રહ્યો છે, ન તો રોજગાર ઉભો થઈ રહ્યો છે. દારૂબંધી હટશે તો ટુરિઝમને બળ મળશે અને રોજગાર પણ ઉભો થશે. સાથે જ તેમણે ઝેરી કેમિકલવાળો દારૂ પીવા લોકો મજબૂર થાય છે તે નહિ થાય.