Mysamachar.in-જામનગર:
આમ તો રાજ્યની રૂપાણી સરકારને સવેદનશીલ સરકાર માનવામાં આવે છે, પણ આ જ સંવેદનશીલ સરકારમાં ખેડૂતોની વ્યથા યેનકેન પ્રકારે સામે આવતી રહી છે, અહી વાત જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાની કરવામાં આવી રહી છે, કાલાવડ તાલુકાના જાલણસર ગામના ખેડૂતોનો વલોપાત કેમેરા સામે આવ્યો છે, ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતરો વચ્ચે નીકળેલી સૌની યોજનાની પાઇપ લાઇનનું એક વર્ષ થી ચાલુ થયા બાદ આજે પણ એમ નેમ છે, તો પૂરું વળતર ના મળ્યાની પણ કેટલાક ખેડૂતોની ફરિયાદ છે, કોણ કોન્ટ્રાકટર કામ કરે છે તે ખેડૂતો ને ખબર નથી, અનેક વાર ખેડૂતો રજુઆતો કરે છે, પણ જગતના તાતની વ્યથાને સાંભળનારું અહી કોઈ નથી કારણ કે તેરી ભી ચુપ અને મેરી ભી ચુપ નો ઘાટ છે.ખેડૂતોની વ્યથાનો વિડીયો જોવા કા ઉપર ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની વિઝીટ કરો.