Mysamachar.in-જામનગર
આજે રાજ્યના મંત્રીમંડળનો શપથ સમારોહ હતો, તેમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને કેબીનેટ કક્ષાનું સ્થાન મળ્યું છે. my samachar દ્વારા જયારે સવારે આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો ત્યારે જ તે તરફ સચોટ ઈશારો કરી દેવામાં આવ્યો હતો કે રાઘવજી પટેલને કૃષિ મંત્રાલય મળશે, અને તે વાત પર અંતે સતાવાર પણ મહોર લાગી ચુકી છે અને રાઘવજી પટેલને કૃષિ મંત્રાલય ફાળવી દેવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે, આ માહિતી ખુદ મંત્રી રાઘવજી પટેલે પોતે માહિતી આપતા જણાવ્યું કે તેવોને કૃષિ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. આમ અન્ય માધ્યમોની જેમ બ્રેકીંગ ન્યૂઝની ઝંઝટમાં પડ્યા સિવાય લોકો સુધી સચોટ માહિતી પહોચાડવાનો પ્રયાસ Mysamachar.in કરે છે તે ફરી એક વખત સાચું પડ્યું છે.