Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના પોજીટીવ કેસોની સંખ્યા સતત વધી રહી છે, અને હવે કાઈ પહેલા જેવું નથી કે એક જી.જી હોસ્પિટલ જ છે, કેટલાય સમૃદ્ધ લોકો ખાનગી હોસ્પીટલમાં પણ સારવાર લે છે, સામાન્ય લક્ષણોવાળા હોમ આઈસોલેશનમાં છે તેને કારણે પણ જી.જી નું ભારણ ઘટ્યું છે, એટલે ખાલી એવું નથી કે જી.જીમાં જ બધું ભારણ છે, હા પહેલા કરતી થોડીક દર્દીઓની સંખ્યા વધી છે, પણ તેમાં ગંભીર દર્દીઓ વધુ હશે કદાચ…તેની સામે દુવિધાઓ પણ વધી છે,
પણ તેનું નિરાકરણ કરવાની બદલે છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલ તંત્ર પ્રીસીદ્ધી કરાવવામાં લાગ્યું હોય તેમ લાગે છે, કેટલાક પ્રશ્નો સતત કોવીડ હોસ્પિટલને લઈને આવી રહ્યા છે, પણ તેનું સચોટ નિરાકરણ કરવાને બદલે જે નથી થઇ રહ્યું તેની પ્રસિદ્ધિ કરાવવામાં આવી રહી છે, તેમ કેટલાક ડીસ્ચાર્જ થયેલ દર્દીઓનો અભિપ્રાય છે,
એવામાં આજે વધુ એક ફરમાન મુજબ જી. જી.ની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને તેનાં સગા દ્વારા કોઈ ચીજ-વસ્તુ પહોંચાડવી હશે તો તેનો પૂરા દિવસનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. એ સમય સવારે 7 થી 8, બપોરે 11 થી 12 અને સાંજે 6 થી 8 સુધી એમ બહુ આયોજનપૂર્વક નક્કી કરવામાં આવ્યો છે.હા પણ આ સમયમાં દર્દીના સબંધીઓ જો જરૂરી ચીજવસ્તુઓ આપી જાય તો પણ ક્યાં દર્દી સુધી સમયસર પહોચે છે, ચીજવસ્તુઓ જે દર્દીઓ માટે જરૂરી છે તેને તે કયા સુધીમાં મળશે તે કોણ નક્કી કરશે..આ અંગે જીજી હોસ્પીટલનું માયસમાચાર દ્વારા ધ્યાન વારંવાર દોરવામાં આવ્યું છે છતાં કાઈ ફેરફાર થયો નથી આશા રાખીએ કે તંત્ર દર્દીઓના હિતમાં ખરેખર ધ્યાન આપે…