Mysamachar.in-અમદાવાદ
અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં વસવાટ કરતા એક એનઆરઆઈ વૃદ્ધની આંખોમાં મરચાની ભૂંકી છાંટી દઈ બંધક બનાવી અને લુંટની ઘટના સામે આવ્યાના ગણતરીની કલાકોમાં પોલીસે આ ગુન્હામાં સંડોવાયેલા એક સીગર સહીતના શખ્સોની ટોળકીને લૂંટના આરોપમાં ઝડપી પાડી છે. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે આ લૂંટારૂઓએ લૂંટ માટેની ટીપ સગીર પાસેથી મેળવી હતી અને ત્યારબાદ સિનિયર સિટીઝનની આંખમાં ભરચાંની ભૂકી નાખી સોનાના દાગીના સહિતનની લૂંટ ચલાવી હતી.
શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલ આંનદજી કલ્યાણજી જૈન સોસાયટીમાં NRI નરેન રતિલાલ શાહ 7 વર્ષ થી રહે છે. ગત 25 ફેબ્રુઆરીના રોજ 3 જેટલા લૂંટારુઓ NRI નરેન શાહના ઘરે પહોંચ્યા અને ‘જેક અકલ દરવાજો ખોલો તેમ કહીને નોક કર્યું હતું’. જોકે પોતાના નામથી બુમ પાડતા દરવાજો ખોલતાની સાથે 3 જેટલા લૂંટારુઓ સિનિયર સીટીઝન આંખમાં ભૂકી નાખી અને બંધક બનાવી ઘરમાં રહેલ ટીવી, મોબાઈલ ,ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે આ મામલે લૂંટ માટે ટીપ આપનાર સગીરની અટકાયત કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ સમગ્ર ઘટનામાં કોઈ સ્થાનિક આરોપી હોવાનું સામે આવ્યું હતું અને તપાસમાં પણ એજ સામે આવ્યું અને 14 વર્ષના સગીર આરોપી ફરિયાદીની પાસે રહે છે અને તેને પોતાના અન્ય સાગરીતોને કહી આ લૂંટ ની ઘટનાને અંજામ આપ્યો હતો. તપાસ માં એ પણ સામે આવ્યું છે કે ખોટા ખર્ચા માટે રૂપિયાની જરૂર પડતા આ ઘટનાને અંજામ આપ્યો છે. આ ગુનામાં અન્ય 2 લોકો ફરાર છે અને જેમની તપાસ કરવા માં આવી રહી છે.