Mysamachar.in-જામનગર
માણસની મજબૂરી માણસ પાસે કાઈ પણ કરાવી શકે છે, આવો જ એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે, જેમાં થોડા દિવસો પૂર્વે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વિજરખી ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ તો પોલીસે ઉકેલી નાખ્યો પણ જે શખ્સ ઝડપાયો તે રીક્ષાડ્રાઈવરની પૂછપરછ કરતા પોતાનો કામધંધો ચાલતો ના હોય અને રીક્ષાના હપ્તા ચઢત થઇ ગયા હોય જેથી પૈસાની જરૂરીયાત હોય માટે ચોરી કર્યાની કબુલાત આપી છે,
પંચકોષી ‘એ’ ડીવી પોલીસમથકના પી.એસ.આઈ બી.એસ.વાળા તથા સ્ટાફના શૈલેન્દ્રસિંહ જાડેજા, જીગ્નેશભાઈ વાળા, સંદિપભાઈ જરૂ, દેવેન્દ્રસિંહ જાડેજા પો.સ્ટે. વિસ્તારમાં મીલકત સબંધી અનડીટેક્ટ ગુન્હા શોધવા પેટ્રોલીગમાં તેમજ ચોરીના ગુન્હાની તપાસમાં હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમી હકીકત આધારે જામનગર-કાલાવડ હાઇવે રોડ ઉપર આવેલ અલીયા-બાડા ગામના પાટીયા પાસેથી કનુભા ભીખુભા કેર ઉ.વ.35, ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ, રહે.વિજરખી ગામ તા.જી.જામનગર વાળાને ચોરીમાં ગયેલ મુદામાલ (1) સોનાનો હાર કિ.રૂ.30,960/- (2) સોનાનું મંગળસુત્ર કિ.રૂ.43,200/- (3) ચાંદીના સાકળા કિ.રૂ.1725/- (4) ચાંદીના સિક્કા નંગ-2 કિ.રૂ.500/- (5) રોકડ રૂપીયા 1710/- મળી કુલ રૂપીયા 78095/- ની માલમતા સાથે પકડી પાડી અનડીટેક્ટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો,
ઝડપાયેલા રીક્ષાડ્રાઈવરની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ આ શખ્સે ‘પોતાનો કામ ધંધો બરાબર ચાલતો ન હોય અને રીક્ષાના હપ્તા ચડી ગયેલ હોય જેથી પૈસાની જરૂરત હોય અને જેના ઘરમાં ચોરી થઇ હતી તે ફરીયાદી પક્ષ પોતાના ઘરે હાજર ન હોય અન્ય ઘરે સત્સંગમાં ગયેલ હોવાનું પોતે જાણતો હોય જે મોકાનો લાભ મેળવી ચોરી કરેલ” ની કબુલાત આપેલ છે.