Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા થયેલ કાર્યવાહીની યાદી જાહેર થઇ છે તે મુજબ શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલ જુદી-જુદી ઓઇલ મીલોમાંથી 12 જેટલા નમુના લઇ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં છે, જો કે નમુનાનો રીપોર્ટ આવતા વાર લાગી જશે આ જ રીતે અમુક ડેરી અને હોટેલોમાં પણ ફૂડ વિભાગ દ્વારા તપાસ કરી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે,
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વિવિધ હોટેલમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું જેમાં શહેરના ખીજડિયા બાયપાસ પાસે આવેલ ખોડલ રેસ્ટોરન્ટ, રણજીતસાગર રોડ પર આવેલ ઢોસા હાઉસ, મારાજ ગાઠીયાવાળા, પરિવાર રેસ્ટોરન્ટ, ઝાયકા રેસ્ટોરન્ટ, ગોકુલ ડેરી, પીટરઝોન પીઝા, પટેલ ફરસાણ એન્ડ બેકર્સ, ધન લક્ષ્મી બેકર્સ, દરેડમાં શ્રીજી ડાયનિંગ હોલ તથા ધ એગ ટાઉનમાં ચકાસણી કરાઇ હતી અને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, ખોરાક ઢાકીને રાખવા, સાફ સફાઈ જાળવવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ખીજડિયા બાયપાસ ખાતે આવેલ જયમાતાજી હોટલમાં ઈન્સ્પેકશન કરી આજીનો મોટો, રાઇસ, પનિર, પનિર પટિયાલા, કઢી, દાળ-નુડલ્સ વગેરે મળી કુલ 12 કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ જેએમસીમાં ફુડ લાયસન્સ અંગેની સાત દિવસમાં અરજી કરવા નોટિસ પાઠવી હતી તેમજ ખોડિયાર કોલોની, મેઈન રોડ પર આવેલ પીઝા બ્રસ્ટ નામની પેઢીમાંથી પાંચ કિલો મન્ચ્યુરિન, ચણા, મગ, પાસ્તા મળી સાત કિલો જેટલા વાસી ખોરાક મળી આવતા સ્થળ પર નાશ કરાયો હતો.