Mysamachar.in-જામનગર
આગામી 7 માર્ચ 2021 ના રોજ ઘોરણ 10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપતી વખતે કેવો અભિગમ રાખવો એવા વિષય સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા એન્જોય બોર્ડ એક્ઝામ સેમિનારનું ટાઉનહોલ ખાતે સાંજે 05 થી 07 દરમિયાન આયોજન કરવામાં આવેલ છે. સતત સાતમાં વર્ષે આ સફળ આયોજનમાં પ્રવર્તમાન સંજોગોને કારણે વિદ્યાર્થીઓને માનસિકતામાં સંપૂર્ણ બદલાવ લાવી 5 થી 7 પર્સેન્ટાઈલ રેન્ક વધારવા માટે અને પરીક્ષા દરમિયાન પરીક્ષાલક્ષી વલણ અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે રાજકોટથી તજજ્ઞ ટીમને બોલાવવામાં આવેલ છે.
પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને માત્ર કોર્ષ પૂરો કરવા પૂરતી સીમીત વિચારધારામાં થી બહાર કાઢી તેઓએ જેટલો પણ અભ્યાસ કરેલ છે તે વિષયવસ્તુને કેવી શૈલીમાં રજૂ કરવાથી ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી શકાય તે તરફ વાળવા જરૂરી છે. આ સેમિનાર દરમિયાન તેઓને પોતાના અભ્યાસક્રમને દ્રઢીકૃત કરવા માટેના સરળ સોપાનો સમજાવવામાં આવશે. ઉપરાંત પરીક્ષાપ્રત્યેના વલણને હકારાત્મક દિશામાં પરીવર્તીત કરીને ગુણવત્તા સભર પરીણામ મેળવવા માટે જાગૃત કરવામાં આવશે.
સતત 32 વર્ષોથી વિદ્યાર્થીલક્ષી વલણ અપનાવતી એકમાત્ર શાળા એટલે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ કહીએ તો તેમાં જરાય અતિશયોકિત નથી કારણ કે સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટ તથા મેનેજિંગ ડાયરેકટર ઉસ્મિતાબેન ભટ્ટના અથાગ પરિશ્રમનાં પરીણામથી સમગ્ર ગુજરાત અજાણ નથી જ. આ ઉપરાંત ટ્રસ્ટી મૌલિકભાઈ ભટ્ટ દ્વારા યુવા વર્ગને સતત સ્વપ્રગતિ માટે પૂરા પાડવામાં આવતા પ્રોત્સાહનને કારણે જ દર વર્ષે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ તેના દરેક પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે છે.
આ સેમીનાર માં “પરીક્ષા શા માટે એન્જોય કરવી જોઈએ” તેનું માર્ગદર્શન C.A. કિશોરસિંહ દ્વારા અને પરીક્ષા કેવી રીતે એન્જોય કરવી જોઈએ તેનું નિદર્શન ડો. વિપુલભાઈ ગેડીયા દ્વારા કરવામાં આવશે. પોતાની પ્રભાવશાળી વાણી દ્વારા એક આવી ઓળખ ઉભી કરનાર પ્રખર વકતા કે જેઓ હેયાન તરીકે પ્રસિધ્ધી પામ્યાએ તેવા હર્ષલ માંકડ દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમનું સંચાલન પ્રખર વકતા C. A. કેતનભાઈ વ્યાસ કરશે. ઉપરોકત કાર્યક્રમ ઘોરણ-10માં અભ્યાસ કરતાં દરેક વિદ્યાર્થીએ અચૂક માણવો જેથી પરીક્ષા પ્રત્યેના અકારણ ઉભા થતાં ભયને સરળતાથી દૂર કરી અને સફળતા પ્રાપ્ત કરી શકે.