Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદને કારણે જીલ્લા પંચાયતના બાંધકામ વિભાગ હેઠળ આવતા રસ્તાઓ સહિતના માર્ગોને જબરું નુકશાન થયું છે, ત્યારે જીલ્લાના લોકોને અગવડ ના પડે તે માટે જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન કે.બી.ગાગિયાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં અધિકારીઓની બેઠક યોજાઈ જેમાં મોટાભાગનું મરામતનું કામ પૂર્ણ થઇ ચુક્યું હોય બાકીનું કામ પણ તાકીદે પૂર્ણ કરવા અધિકારીઓને કડક તાકીદ કરવામાં આવી…
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદ અને ડેમ ઓવરફલો થતાં ગામડાઓમાં પાણી ફરી વળતાં જમીનની સાથે લોકો જ્યાંથી દરરોજ અવરજવર કરે છે તે માર્ગોને વ્યાપક નુકસાન થયું છે. અમુક સ્થળો પર તો માર્ગો, પુલ તૂટી જતાં આવાગમન મુશ્કેલ બનતા માર્ગો-પુલ તાકીદે રીપેર કરવા માંગ ઉઠી છે, એવામાં જામનગર જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠક ચેરમેન કે.બી. ગાગિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં અતિવૃષ્ટીથી અને ભારે વરસાદથી જિલ્લાના માર્ગોની થયેલા નુક્સાન અંગે રસ્તા, પુલ, બ્રીજ કોઝ-વેના કામો તાત્કાલિક રીપેર કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.અને તેનો ખર્ચ 5 કરોડ જેટલો થવા જાય છે તે કામ હવે 20% જેટલું જ બાકી હોવાનું કે.બી.ગાગિયાએ my samachar સાથેની વાતચીતમાં કહ્યું તો અધિકારીઓની આ બેઠકમાં કામો ઝડપથી થવા ઉપરાંત કામો ગુણવત્તાયુક્ત થાય તે માટે પણ તાકીદ કરી હતી.