Mysamachar.in-જામનગર
જામનગર સહીત ગુજરાતભરના યાર્ડોમાં આજથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવાનો પ્રારંભ થયો…ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા 45 ખેડૂતોને મેસેજ અને ફોન કરીને મગફળી વેચાણ કરવા માટે જાણ કરવામાં આવી હતી, પરંતુ એક પણ ખેડૂત મગફળી ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા માટે આવેલ ના હોવાનું સતાવાર રીતે જાણવા મળ્યું. આ અંગે યાર્ડના ચેરમેન રાઘવજી પટેલે ખુદે વિશ્વાસ સાથે કહ્યું કે કોઈ ખેડૂતો મગફળી વેચાણ કરવા માટે એટલા માટે નહિ આવે કારણ કે ટેકાના ભાવો કરતા ખુલ્લી બજારમાં ખેડૂતોને ખુબ ઊંચા ભાવો મળે છે, ખુલ્લા બજારમાં 850 થી 1436 સુધીનો 20 કિલોનો ભાવ ખેડૂતોને મળ્યો હતો.આમ ખુલ્લી બજારમાં ઉંચો ભાવ મળતો હોય ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરવામાં વધુ રસ નહી હોય તેમ રાઘવજી પટેલે જણાવ્યું હતું.જો કે સૌરાષ્ટ્રના કેટલાય યાર્ડોમાં આવી જ સ્થિતિ જોવા મળી હતી અને ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે વેચાણ કરવા માટે આવ્યા જ નહિ.