Mysamachar.in-જામનગર:
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ આજે રાઘવજી પટેલ જામનગર દિવસભર જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાતે છે, રાઘવજી પટેલ જે વિસ્તારમાં હતા તે જ વિસ્તારમાં my samacharની ટીમ પણ પહોચી હતી અને રાઘવજી પટેલે સાથે સીધી જ વાત કરી ત્યારે તેવોએ ખુદ સ્વીકાર્યું કે આવો વરસાદ અને પુર ગામ લોકોએ ક્યારેય જોયું નથી તેમ ગ્રામજનો જણાવે છે, ખેડૂતોને ખુબ મોટું નુકશાન થયું છે ઘરવખરીને પણ નુકશાન થયું છે, અમે લાગતા વળગતા અધિકારીઓને આ અંગે સુચના આપી અને સરકાર તરફથી સહાય મળે તે માટેની કાર્યવાહી કરવા સૂચનાઓ પણ આપી છે,
વધુમાં તેમણે કહ્યું કે સરકારે સહાય માટેની કામગીરી શરુ કરી દીધી છે અડધી કામગીરી પૂરી થઇ ગઈ છે, માત્ર ખેતીના પાકને થયેલ નુકશાન અને ધોવાણ માટે સર્વેની સિંચાઈ માટેની ટીમો કલેકટરને રીપોર્ટ આપે બાદમાં ચુકવણું થશે વધુમાં તેવોએ કહ્યું કે પાક ધોવાણ માટે સર્વેની કામગીરી ચાલુ છે તે કામગીરી પૂરી થયા બાદ તેની પણ ચુકવણી થશે પશુઓના મૃત્યુ મામલે 30,000 ને બદલે 50,000સહાય કરવામાં આવે તેવી ચર્ચાઓ મુખ્યમંત્રી સાથે થઇ છે, એક વ્યક્તિના 3 ને બદલે 5 પશુઓના મોત માટે પણ વિચારણા સરકારમાં ચાલી રહી છે જયારે ખાસ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવશે કે કેમ તે પ્રશ્નના જવાબમાં રાઘવજી પટેલે કહ્યું હતું કે મુખ્યમંત્રી કક્ષાએથી આજે અથવા આવતીકાલે આવા ખાસ પ્રકારની જાહેરાત કરવામાં આવશે.