Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં લોલમલોલ ચાલે છે, અને છતાં પુરવઠા વિભાગ હાથ પર હાથ ધરીને બેઠું હોય ત્યારે my samachar દ્વારા શરુ કરવામાં આવેલ લોકજાગૃતિની મુહિમમાં જાગૃત લોકો પોતાના ઢગલોબંધ પ્રતિભાવો આપી રહ્યા છે, જે અહી પ્રસ્તુત કરવાનો અને વધુને વધુ લોકો જાગૃત થાય અને “કટકી” થતી અટકાવે તે માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. આજે જે લોકોના પ્રતિભાવો પ્રસ્તુત કર્યા છે, તે અક્ષરશ:આ મુજબ છે.
જાગૃત નાગરિક:01-એવી સુવિધા સરકાર લાવે કે જે વ્યક્તિને જેટલો અનાજનો જથ્થો મળી જાય પછી તેના મોબાઈલ ફોન પર મેસેજ આવે કે તમને આટલો સરકારી અનાજ નો જથ્થો મળી ગયો છે.હા કે ના તેનો રીપ્લાય કરો તો પુરતા પ્રમાણમાં સામાન્ય નાગરિક સુધી અનાજ પહોચશે હવે સવાલ નહિ પણ બદલાવ લાવવાની જરૂર છે,
જાગૃત નાગરિક-02 અરે મારા ભાઈ બધીજ જગ્યાએ ઘણા ધક્કા ખાધા પણ કોઈ જવાબ નથી આપતા બે વર્ષ થયા હવે તો અમે કંટાળી ગયા અમારે બીપીએલ હતું હમણાં એમાંથી એપીએલ કરાવી છતાંય હજીએ ક્યાય કોઈ ઉપાય હોય તો બતાવી મહેરબાની કરો.
જાગૃત નાગરિક-03 3 વ્યક્તિને માત્ર 3 કિલો ચોખા મળે છે. ખાય જાય છે બધું, 3 કિલો ચોખા અને 5 કિલો ઘવ ને 60 રૂ દેવાના 3 વ્યક્તિ માટે