Mysamachar.in-જામનગર
જામનગરમા વિવિધ તંત્રો સાથે મળીને કેટલીક અસરકારક કામગીરીઓ કોરોનાને લઈને કરી રહ્યું છે, આવી જ થોડી કામગીરી આજે પણ કરી પણ જામનગરના લોકોમાં જે જાણવા જોવા મળી રહ્યું છે તેમાં લોકો કહે છે કે ઇન્જેક્શન ઓક્સીજન દવાઓ બેડ બધુ જ તો પહેલા પુરા પાડો એવી લોકોની માંગ છે, જેમ ફિલ્મી સ્ટોરીમા કે વાસ્તવિકતામા જોવા મળે તો રોટલી બ્રેડ કે પાંઉ ચોરનાર પેટની આગ બુઝાવા મજબુરીમા ચોરી કરે છે તેમ હાલ કોરોનાની જરૂરી દવા સહિતના મામલે લોકોની મજબુરી છે,
હા ગેરકાયદેસર વેચાણ પકડવુ જ જોઇએ તે સારી કામગીરી છે પરંતુ તંત્ર રેમડેસીવર ફેબીફ્લુ ઓક્સીજન સીલીન્ડર એમ્બ્યુલન્સ ખાનગી હોસ્પીટલ બેડ વગેરે પુરતા અવેલેબલ કોઈ કેમ નથી કરાવતુ? બધુ પુરતુ આપો પહેલા તો કાળાબજાર નહી થાય ને ક્યાક બિચારા કોઇ કઇ લાગવગથી લઇ આવે તો તંત્ર મોથ મારી હોય તેમ તુટી પડે તંત્ર અવેલીબીલીટીમા ધ્યાન આપે તો કાળા બજાર તો નહી થાય અને બીજા જરૂરી કામમા સમય આપી શકશે.
સંવેદનશીલ મુખ્યમંત્રી કહી ગયા સીરીયસ બહુ ન હોય તો ઘરે જ સારવાર કરવી તો ઘરે દાખલ એટલે કે આઇસોલેટને ઇન્જેક્શન દવા ઓક્સીજન સીલીન્ડર પુરતા મળતા નથી તો ઇ કોણ જોશે??? અરે ખુદ ડોક્ટરો પેરા મેડીકોઝ વગેરે ઓક્સીજન રેમડેસીવર ફેબીફ્લુ સહિત અનેક પાઇન્ટ વાયલ અને અસોસીએટ મેડીકલ હેલ્પ માટે ભલામણ કરે છે ઉપરથી CM કહી ગયા પછી નુ ખરૂ કોરોના સેટઅપ વેલ ઇક્વીપ્ડ એન્ડ વેલ ટ્રેન્ડ સ્ટાફ ગોઠવાયા નથી તેમજ જીજીએચ મા આઉટ સોર્સથી એટેન્ડન્ટ અમુક તો ચા દુધ ઇડલી જેવુ વેચાણ કરનારા હોવાનુ ચર્ચાય છે, ઉપરથી એમ્બ્યુલન્સના જંગી ભાડા તે તો હોલ્ટના પણ ચાર્જ લે જેવી તેવી ગમે તે વાન હાલ એમ્બ્યુલન્સમા અપુરતી સુવિધા અને ટ્રેન્ડ સ્ટાફ વગર દોડે છે અને દર્દીના સગાઓના વાંસા ફાડે છે.
-માસ્ક-ડીસ્ટન્સના દંડ કરનાર પોતે કેમ પાલન નથી કરતા???વેપારીઓ સાથે ઉદ્ધતાઇ
જામનગર કોર્પોરેશને જુદા-જુદા વિભાગોનુ સંકલન કરી ટીમો ઉતારી છે માસ્ક ડીસસ્ટન્સ ગીરદી સેનેટાઇઝર સફાઇના ચેકીંગ માટે પરંતુ એક તો આ લોકો વેપારીઓ સાથે ઉદ્ધતાઇ કરે છે ઉપરથી ટીમ પોતે તો દરેક સભ્યો માસ્ક હેન્ડ ગ્લોઝ સેનેટાઇઝર બોટલ વગેરે સાથે નથી રાખતા વાપરતા નથી અને ચેકીંગ ગાડીમા ખીચોખીચ બેસે છે તેના દંડ કોણ કરશે???
-કર્ફ્યુમા નીકળવુ એટલે સરહદ પાર કરવી……!!!??
કર્ફ્યુ અમલથી કોરોના ઘટવાનો હોય તો લોકડાઉન કા નથી કરતા? રાત્રે આમેય ગીરદી ઘટવાની છે ખુદ વડાપ્રધાન બોલ્યા કે રાત્રી કર્ફ્યુ 9 વાગ્યાથી હોવો જોઇએ પરંતુ આપણે ત્યાતો સાડા સાત થી કુમકો ગોઠવાય જાય છે રાત્રે દંડારાજ જાણે બેફામ બને છે અને કર્ફ્યુ ના ચુસ્ત અમલના બણગા ફુંકાય છે તેમજ કર્ફ્યુની એાન્શ્યાલીટીની જોગવાઇ મુજબનો આ કર્ફ્યુ ઠરાવ સાથેનો નથી તે પણ જોવુ જોઇએ લોકો સાથે માનવતા રાખતા તંત્ર શીખે તેમ આ બધુ જણાવી જાણકાર નાગરીકો ઉમેરે છે કે એક તો બિમારી ઘરના બિમાર સભ્યોની ચિંતા પોતાના કામ ધંધા આટોપવા ને બીજા દિની ખરીદીની ચિંતા તેમજ મંદી બેરોજગારી પૈસાની ખેંચના તણાવ સાથે જતા નાગરીકને એક દંડો કેટલુ દુખ પહોંચાડે છે એ વિચાર્યુ ??? તેમ પણ દર્દ સાથે સવાલ ઉઠ્યા છે કેમકે રાત્રે પાંચ દસ મિનિટ મોડા થનાર ને સરહદપાર કરવા જેવા અનુભવ થયા હોવાનુ ચર્ચાય છે તેમા માનવીય અભિગમ ની જરૂર છે.