Mysamachar.in-જામનગર:
જામનગરમાં ભયરૂપ બે ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જામનગર જીલ્લામાં પ્રોહીબીશન હેઠળની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા, તેમજ અસામાજીક પ્રવૃતિ આચનાર ઇસમો ઉપર “પાસા” હેઠળ અટકાયત પગલા લેવા જામનગર જીલ્લા મેજિસ્ટેટ સૌરભ પારધી તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલને માર્ગદર્શક સૂચના કરવામા આવેલ હતી.
જેથી અસામાજીક પ્રવૃતિ આચનાર ભયરૂપ બે ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી, જીલ્લા મેજીસ્ટ્રેટ જામનગર તરફ મોકલી આપવામા આવેલ જે પાસા દરખાસ્ત અનુસંધાને જીલ્લા મેજીસ્ટ્રેટે વસીમ અકરમ ઉર્ફે વસીમ બલોચ અને યુસુફ ગની આંબલીયા આ બન્ને ઇસમોને જેલમાં મોકલી આપવા પાસા હેઠળ હુકમ કરવામાં આવેલ જેથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે. કે.ગોહિલે પાસા વોરંટની બજવણી કરી,અટકાયતમાં લઇ સુરત તથા વડોદરા જેલમા મોકલી આપવા તજવીજ કરેલ છે.જેની સામે પાસાની કાર્યવાહી થઇ તે વસીમ સામે પ્રોહીબીશન અને જુગારના 3 ગુનાઓ જયારે યુસુફ આંબલીયા સામે પ્રોહીબીશનનો ગુનો નોધાયેલ છે.