Mysamachar.in-જામનગર
IMAની વડી શાખાના આદેશ અનુસાર તમામ રાષ્ટ્રવ્યાપી શાખાઓનો આવતીકાલ 18 જુનના રોજ આરોગ્યકર્મીઓ પર થતા હુમલા સામે ‘સેવ ધી સેવિયર’ નાં નારા સાથે શાંતિવિરોધ પ્રદર્શિત કરશે તથા દેખાવો કરવામાં આવશે. આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે અને ડોકટર અને નર્સો ઉપર થતા હુમલાઓ સામે સખત કાયદો અને તેનાં ત્વરિત અમલીકરણ માટે IMA માંગ કરે છે.
માટે આવતીકાલે IMAના સભ્યો આપશે આ કાર્યક્રમો..
-બ્લેક બેજેસ, ફ્લેગ્સ, માસ્ક, રિબન, શર્ટ વગેરે પહેરી કામ કરશે.
-બેનરો, “સેવ ધ સેવિયર” અને “વ્યવસાય અને વ્યવસાયિકો પર હિંસા બંધ કરો” ના સૂત્ર સાથેના પ્લે કાર્ડ સાથે હોસ્પીટલ ખાતે વિરોધ કરવામા આવશે.
-વડાપ્રધાનને તબીબી વ્યવસાય અને પ્રોફેશનલ્સ પરના હુમલાઓ સામે આવેદનપત્ર મોકલવામા આવશે.
– વહીવટી, રાજકીય નેતાઓ, એસપી, ડીએમ, ધારાસભ્યો અને વિવિધ વિસ્તારના સાંસદોને રજૂઆત કરવામાં આવશે.
વધુમાં આવતીકાલે શુક્રવારના દિવસે કોઈ પણ હોસ્પિટલ બંધ રહેશે નહીં, તમામ આરોગ્ય સેવાઓ યથાવત્ રહેશે તેમ જામનગર IMA ના પ્રેસિડેન્ટ ડો.પ્રશાંત તન્ના સહિતના હોદેદારોની યાદીમાં જણાવે છે.