Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના લાલપુરથી જામજોધપુર તરફ જતા રસ્તા પર ગોપની ગોલાઈ નજીક આંજે સવારે ભાણવડ તરફ જઈ રહેલ ખેત મજુરોથી ભરેલ ખાનગી બસ પલટી મારી જતા 15 જેટલા મુસાફરો ઘાયલ થયા છે, જેને 4 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી અને બસને ક્રેઈન વડે સીધી કરવા સહિતની કામગીરી જામજોધપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.આ ઘટનામાં એક બાળકી નું મોત થયાનું પોલીસે જણાવ્યું છે.