My samachar.in:-જામનગર
જામનગર ખાતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સ્થાપવામાં આવનાર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસ સ્થળની મુલાકાત લીધી હતી. બે સપ્તાહ પહેલા જ, આયુષ મંત્રાલયે ભારતમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની સ્થાપના માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સાથે હોસ્ટ કન્ટ્રી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ના શિલાન્યાસ તેમજ ભૂમિપૂજનનો કાર્યક્રમ તા.19મી એપ્રિલે જામનગર, ગુજરાત ખાતે યોજાઈ રહ્યો છે.આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને WHO ના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસની ઉપસ્થિતિમાં સંપન્ન થશે.આ કાર્યક્રમના સંદર્ભે જે સ્થળ પર આ કાર્યક્રમ આયોજિત થવાનો છે તે ગોરધનપર નજીક જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, એસપી પ્રેમસુખ ડેલુ, કમિશ્નર વિજય ખરાડી, માર્ગ મકાન વીભાગના સુરેશ કટારમલ સહિતનાઓએ કાર્યક્રમના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમજ તે અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.