Mysamachar.in-ગુજરાત:
આ વર્ષ ગુજરાત વિધાનસભાની ચુંટણીનું વર્ષ છે, ખરેખર તો આ વર્ષના એન્ડમાં વિધાનસભાની ટર્મ પૂર્ણ થઇ રહી છે, પણ યુ.પી.સહિતના રાજ્યોમાં બીજેપીની જીત બાદ આ તકનો લાભ અને અન્ય વિપક્ષ ગુજરાતમાં ના ફાવી શકે તેવી રણનીતી સાથે ગુજરાતમાં હવે ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે તેમ જાણકારો પાસેથી જાણવા મળે છે અને કદાચ ચૂંટણીઓ વહેલી યોજાઈ તેવી શક્યતાઓ છે,એવામાં આજે વડાપ્રધાન મોદીએ તેમના નિવાસસ્થાને ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના 34 સાંસદો સાથે એક બેઠક કરી હતી તે ઉપરાંત જનહિત માટે કેન્દ્ર સરકારના દરેક પ્રયાસોને જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. PM મોદીએ ગુજરાતના તમામ સાંસદોને વિકાસ કાર્યો જન જન સુધી પહોંચાડવા માટે તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીજીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સાંસદો સાથે સંવાદ કર્યો તથા જનહિત માટે કેન્દ્ર સરકારના દરેક પ્રયાસોને જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું.વિકાસના એજન્ડા પર જ ભાજપ આગામી ચૂંટણી લડવાનો છે એ નક્કી છે. આ માટે ભાજપે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવાનો વ્યૂહ ઘડ્યો છે.
માનવામાં આવે છે કે વિધાનસભામાં 150 બેઠકની અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવાનો ભાજપનો લક્ષ્યાંક છે.વડાપ્રધાનના માર્ગદર્શન બાદ ભાજપના તમામ નેતાઓ આગામી વિધાનસભાની ચૂંટણી માટે કામે લાગી જશે અને 150 સીટો મેળવવાનો ટાર્ગેટ પુરો કરવા મહેનત કરશે તેમ સુત્રો જણાવે છે જો કે થોડા દિવસો પૂર્વે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં એવું સ્પષ્ટ કર્યું હતું કે ચુંટણી ક્યારે યોજવી તે ચુંટણી પંચ નક્કી કરતું હોય છે, અને અમે ચુંટણી વહેલી માગી નથી અને માગવાના પણ નથી, જો કે આ તે સમયનું નિવેદન હતું. હવે ગુજરાતમાં ચુંટણીઓ વહેલી આવશે કે કેમ તે તો આવનાર સમય પરથી જ સ્પષ્ટ થશે.