Mysamachar.in-અમદાવાદ
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે એક વિસ્તૃત બેઠક યોજી અને વિશેષ તાગ મેળવીને 1 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આમ તાઉતેની તારાજી પર પીએમ મોદીએ સહાય જાહેર કરી જેમાં કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે.