Mysamachar.in-જામનગર:
જામનગર INS વાલસુરા નેવી મથક ખાતે આગામી 25 માર્ચના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી રહ્યા છે તેને લઈને જીલ્લા પ્રશાસન અને શહેરને લગત બાબતોમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે, જે રીતે સુત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે તેવો જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કર્યા બાદ નેવી ખાતે આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપશે જો કે આ કાર્યક્રમો સંભવિત છે, જેને લઈને જામનગર મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડીએ તમામ ખાતાઓના વડાઓને સાથે એરફોર્સથી લઈને નેવી મથક સુધીના રોડ પર કેવા પ્રકારના કામો કરવા તેની જરૂરી સૂચનાઓ સ્થળ પર જ આપી હતી, જેમ કે રસ્તાઓનું યોગ્ય લેવલીંગ, ડીવાઈડર કલર, જરૂરી દબાણો હટાવવા, બ્યુટીફીકેશન કામ સહિતના કામો માટે સ્થળ પર જરૂરી સુચના આપી અધિકારીઓને કામે લાગી જવા સૂચનાઓ આપી હતી કમિશનર સાથે સોલીડ વેસ્ટ વિભાગ, એસ્ટેટ વિભાગ,પ્રોજેક્ટ પ્લાનીગ વિભાગ, સોલીડ વેસ્ટ વિભાગ, ગાર્ડન, સિવિલ વિભાગ વગેરેના અધિકારીઓ પી.સી.બોખાણી, ભાવેશ જાની, મુકેશ વરણવા સાથે રહ્યા હતા, રૂટ પરના તમામ કામો 20 તારીખ પહેલા પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.આમ જામનગરમાં રાષ્ટ્રપતિની આ મુલાકાતને લઈને તંત્રએ તડામાર તૈયારીઓ શરુ કરી દીધી હોય તેમ આજની કમિશ્નર અને અધિકારીઓની મુલાકાત પરથી લાગી રહ્યું છે.