Mysamachar.in-જામનગર
ગત ચોમાસા બાદ જામનગર જીલ્લાના કેટલાય રસતાઓની હાલત બગડી છે, છતાં માર્ગ અને મકાન વિભાગના પેટનું પાણી હલતું નથી, એવામાં છેલ્લા ઘણા સમયથી સિક્કાથી સિક્કા પાટિયા સુધીનો રોડ ખુબ જ બિસ્માર થઇ ગયેલ છે,અને ખુબ જ મોટા મોટા ખાડાઓ પડી અહીંથી પસાર થતા લોકોના વાહનોમાં ખૂબ નુકશાન થઇ રહ્યું છે. અને લોકોના સમય અને નાણા બન્નેનો વ્યય થઇ રહ્યો છે. જેટલો સમય સિક્કા પાટિયાથી જામનગર જવામાં લાગે છે. એટલો જ સમય સિક્કા પાટિયાથી સિક્કા પહોંચવા માં લાગે છે.
ત્યારે લોકો કહી રહ્યા છે કે આ તે કેવી હાલાકી…?? અમારો શું વાંક…? વધુમાં કરુણતા ઈ છે કે આવા સંજોગોમાં કોઈ ગંભીર દર્દી કે ડીલેવરીવાળા દર્દી ઓને હોસ્પિટલ જવા માટે ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં દર્દી નું મૃત્યુ થવાની પણ શક્યતા રહેલી હોય જે ખુબજ ગંભીર બાબત છે, ત્યારે વહેલામાં વહેલી તકે આ રોડ ને વ્યવસ્થિત રીપેરીંગ કરાવી આપવા જામનગર તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ પરમારે કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાનને સંબોધન કરેલ રજુઆતમાં જાણાવ્યું છે,
તો વધુમાં આ વિસ્તારમાં ઘણા ઉધોગો આવેલ છે. જેના કારણે દિવસે ને દિવસે ટ્રાફિક અને અકસ્માત નું પ્રમાણ ખુબજ વધતું જ જાય છે. તો આ સિક્કા પાટિયા થી સિક્કા સુધી નો રોડ ચાર માર્ગીય (ફોર ટ્રેક) બનાવવા માં આવે તો આ ટ્રાફિક અને અકસ્માત નું પ્રમાણ પણ ઓછું થાય તો આ પણ સર્વે કરાવીને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.