Mysamachar.in-જામનગર:
આજે જામનગર N.S.U.I. અને યુથકોંગ્રેસના આગેવાનો કાર્યકરો જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે પહોચ્યા હતા, જ્યાં વિવિધ ત્રણ મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે, રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે હાલ શીયાળાની કડકડતી ઠંડી ચાલી રહી છે, ત્યારે સવારે ચાલતી શાળાઓના સમયમાં થોડો ઘણો ફેરફાર કરી અને સરકારના પરિપત્રની અમલવારી કરાવી અને વિદ્યાર્થીઓને રાહત થાય તે દિશામાં પગલા ભરવા ઉપરાંત કેટલીક શાળાઓ રવિવારની અને જાહેરરજાઓ ના દિવસે અમુક ખાનગી શાળાઓ ધમધમતી હોય છે, આવી શાળાઓ સામે પગલા લેવા પણ માંગ કરવામાં આવી છે, તો અંતિમ મુદ્દામાં શાળાઓ દ્વારા ગરમવસ્ત્રોના ડ્રેસકોડ નક્કી કરવામાં આવ્યા હોય આમાંના અમુક વસ્ત્રો ઠંડી સામે રક્ષણ આપી શકે તેવા ના હોય ડ્રેસકોડની અમલવારી શીયાળા પુરતી ના રાખવા પણ આવેદનપત્રમાં માંગ કરાઈ છે. આવેદનપત્ર આપતી વેળાએ યુથ કોંગ્રેસ પ્રમુખ ડો.તૌસીફખાન પઠાણ, N.S.U.I. પ્રમુખ મહિલાપાલસિંહ જાડેજા, અને મંત્રી શક્તિસિંહ જેઠવા સહિતના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.