My Samachar.in : જામનગર
થોડા સમય પૂર્વેની જ વાત છે કે જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખાણમાં કરોડોની વીજચોરી પર વીજવિભાગની વિજીલન્સ ત્રાટકી અને 90 લાખ જેટલી રકમની વીજચોરી જે ટ્રાન્સફોર્મર મૂકીને કરવામાં આવી રહી હતી તે ઝડપી પાડીને કેટલાક શખ્સો વિરુદ્ધ GUVNL પોલીસ મથકમાં ગુન્હો દાખલ કર્યા બાદ તેના આરોપીઓ હજુ ઝડપાયા નથી ત્યાં જ આજે જીલ્લાના કાલાવડ તાલુકાના જાલનસર ગામની સીમમાં ચાલતી પત્થરની ખાણમાં ગેરકાયદેસર રીતે લંગરીયા નાખી પાવર સપ્લાય પર PGVCLની ટીમે દરોડો પાડી ઝડપી પાડી છે,
જામનગર PGVCL સર્કલના રૂરલ આઈ.સી.સ્કવોડના એસ.આર.વડનગરા, ડેપ્યુટી ઈજનેર કોરિયા, જુનીયર ઈજનેર મનાત, જીયુવિએનએલ પોલીસ મથક જામનગરના જી.આર.મકવાણા, રણજીતસિંગ લુબાનાએ કાલાવડ તાલુકાના જાલનસર ગામે પત્થર સફેદ બેલાની ખાણમાં વીજપોલ કે ટ્રાન્સફોર્મરથી લંગરિયા નાખી અને ગેરકાયદેસર વીજપ્રવાહ લેવામાં આવી રહ્યો હતો જે ફલિત થતા ઇલેક્ટ્રિક મોટર (heavy load 10 kw ) ની પકડી અને વાયર 200 મીટરથ્રી ફેઝ કેબલ પકડી કબ્જે લીધેલ છે.આ અંગે કાલાવડ સબ ડીવીઝનના અધિકારીઓ ગુન્હો દાખલ કરાવવાની અને પાવરચોરીના બીલ અંગેની કાર્યવાહી કરી રહ્યું છે, વધુમાં આ વિષય ખાણખનીજ વિભાગને લાગત પણ હોય તેના અધિકારીઓને પણ સ્થળ પર PGVCL દ્વારા બોલાવામાં આવ્યા છે, હવે તેના દ્વારા આ અંગે અલગથી શું કાર્યવાહી થશે તે જોવાનું છે.
હમણાં હમણાને આવા બે કિસ્સાઓ સામે આવવા તે ભારે તપાસ માગી લેતું એટલા માટે છે કારણ કે જામનગરની ફરતે કેટલીય જગ્યાએ કાયદેસર લીઝો આવેલ છે, કેટલીય જગ્યાએ ગેરકાયદેસર ખનન થાય છે ત્યારે જીલ્લામાં બે જગ્યાએ ખનન પરથી આ રીતે પાવરચોરી સામે આવતી હોય તો અન્ય સ્થળોએ તપાસ થાય તો મોટી ખનીજચોરી અને વીજચોરી સામે આવે તેમ જાણકારોનું માનવું છે.