Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલીકા ના શૌચાલય કૌભાંડનું પાપ હવે છાપરે ચડીને પોકાર્યુ તેમજ સઘન તપાસ થાય તો કૌભાંડના “લાભાર્થી” ઓ પણ વધે તેમ છે, ત્યારે આ સમગ્રકાંડનુ પોસ્ટમોર્ટમ mysamachar ના વ્યુઅર્સ માટે રસપ્રદ બની રહેશે કેમકે વાજતુ ગાજતુ પ્રકરણ માંડવે આવ્યુ છે, ત્યારે તેના ગુણગાન સાંપ્રત અને રસપ્રદ બની રહે છે,
જામનગર મહાનગર પાલિકાએ શહેરને સ્વચ્છ બનાવવા આડેધડ શૌચાલયો બનાવી દીધા છે, આપવામાં આવેલા લક્ષ્યાંકે કરતા 160 ટકા શૌચાલયો બનાવી આપ્યા છે, અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી ખુલ્લામાં શૌચાલય ફ્રી શહેર બદલ જામનગર મહાનગર પાલિકાને એવોર્ડ અને રોકડ પુરષ્કાર પણ મળી ચુક્યા છે. હકિકતે આમાંથી અડધા તો માત્ર કાગળ ઉપર કે ઉપયોગમાં લઇ શકાય એવી હાલતમાં નથી. શૌચાલય બનાવવા માટે એન.જી.ઓ. ને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા હતા. એમાં પણ એક ને એક લાભાર્થીઓના નામ ત્રણ ત્રણ એન.જી.ઓ.ના લિસ્ટમાં બોલે છે, તમામને પૈસા ચૂકવાઈ પણ ગયા છે આ મુદો વારંવાર જનરલ બોર્ડમાં ગાજી ગયો હતો અને આખરે હવે સકંજો કસાયો છે,
-આ બાબતો પણ તપાસ માંગી લે તેવી…
જામનગરમાં ખાસ કરીને સ્લમ વિસ્તારમાં સૌથી વધારે શૌચાલયો બનાવવામાં આવ્યા છે, જ્યાં અનેક સ્થળે હાલ ખાલી શૌચાલયના ખોખા જ ઉભા છે, કેટલીક જગ્યા શૌચાલયમાં પોંખરો નથી, લોકોં બાથરૂમ તરીકે વાપરે છે, એક સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરે છે, ક્યાંક તો પ્રથમ માળે ગેલેરીમાં શૌચાલય બનાવી દીધા છે, એના ગંદુ પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી, શૌચાલયની પાણી સીધે સીધું બહાર શેરીમાં પડે છે. તો કેવી ગુણવતા અને કેવું કૌભાંડ તે પણ હજુ ઊંડી તપાસનો વિષય તો ખરા જ…
-આવો હતો કઈક લક્ષ્યાંક…
2001ની વસ્તી ગણતરીને ધ્યાનમાં લઈને જામનગર મહાપાલિકામાં 10,694 શૌચાલયોનો લક્ષ્યાંક અપાયો હતો, તેની સામે 16,400 થી વધારે શૌચાલયો બની ગયા હોવાનુ જાહેર થયુ હતુ એક શૌચાલય દીઠ શરૂઆતમાં 8000/-ની સહાય આપવામાં આવતી હતી, પછી વધારીને 12000/ અને બાદમાં તો 14000/- ચૂકવાયા હતા, કેટલાક લાભાર્થીઓના નામ પણ ત્રણ- ત્રણ એજન્સીઓના લિસ્ટમાં સામેલ હતા તેવા આક્ષેપ વચ્ચે કૌભાંડની આશંકા જાગી હતી ત્યારે હવે સમગ્ર તપાસ એસીબી કરે છે તો માત્ર ચોક્કસ વિસ્તાર પુરતી તપાસ સિમિત ન રહે અને વ્યાપક બને તો માત્ર અડધો અડધ રકમ પણ ચાંઉ થયેલી ગણીએ તો પણ તગડી રકમ થાય છે તે તમામના “લાભાર્થીઓ” દરેક બાબતે સરખા જ હિસ્સેદાર ગણી શકાય છે તેમ અભ્યાસુઓ માને છે.