Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, ત્યારે કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે લોકોં એ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી અને ઘરમાં રહેવાની જ તાતી જરૂરિયાત હોય તેમ લાગે છે, બાકી હું તો જામનગરમાં પણ ગઈકાલે એક ચૌદ માસના બાળકનો કોરોના વાયરસ પોજીટીવ રીપોર્ટ નોંધાયો છે, જેની હાલ સારવાર ચાલી રહી છે, રાજ્ત્યાયમાં અત્રેયારસુધીમાં 11 દર્દીઓના મોત થઇ ચુક્યા છે, આજે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા કહ્યું કે અત્યારસુધીમાં રાજ્યમાં 144 કેસ કોરોના પોજીટીવ નોંધાઈ ચુક્યા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 64, સુરત 17, રાજકોટ 10, વડોદરા 12, ગાંધીનગર 13, ભાવનગર 13, પોરબંદર 3, કચ્છ મહેસાણા ગીર સોમનાથ અને પાટણમાં બે બે કેસો નોંધ્યા છે, જયારે પંચમહાલ, છોટા ઉદેપુર જામનગર અને મોરબીમાં એક એક કેસ મળીને કુલ 144 કેસો નોંધાયાનું સતાવાર માહિતીમાં સામે આવ્યું છે.